વટવા ખાતે પાલ બઘેલ સમાજ સેવા સંઘ દ્વારા આજ રોજ બલિદાન, ન્યાય અને ધર્મના પ્રતિક એવા મહાન યોદ્ધા મહિલા લોક માતા દેવી અહિલ્યાબાઈ હોલકરજીની ૩૦૦મી જન્મજયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, 
આ આયોજિત રેલીને અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન દ્વારા સ્મૃતિ મંદિરથી લીલી ઝંડી આપીને રેલી નું પ્રસ્થાન કરાવ્યું ઘોડાસર થી લોક માતા અહિલ્યાબાઈ હોલકર ઓપન પાર્ટી પ્લોટ વટવા ખાતે સમાપ્ત કરવામાં આવી હતી.
લોક માતા દેવી અહિલ્યાબાઈ હોલકરજીની જન્મજયંતિ નિમિત્તે રેલીમાં પાલ બઘેલ સમાજ ના મોટો સંખ્યા માં જન મેદની ઉપસ્થિત રહી જન્મ જયંતી ઉજવવામાં આવી.
