March 24, 2026
દુનિયાદેશ

ભારતે છેલ્લા કેટલાક દિવસોમાં સિંધુ જળ સંધિને સ્‍થગિત કર્યા પછી પાકિસ્તાન ની પરિસ્‍થિતિ વધુ ખરાબ થઈ

પાકિસ્‍તાનમાં પાણીની ગંભીર કટોકટી ઉભી થઈ છે. આ સ્‍થિતિ ત્‍યારે છે જ્‍યારે પાકિસ્‍તાનમાં વાવણીની મોસમ છે, જે પહેલાથી જ ગરીબ છે અને ભીખ માંગીને જીવે છે.

ભારતે છેલ્લા કેટલાક દિવસોમાં સિંધુ જળ સંધિને સ્‍થગિત કર્યા પછી, પરિસ્‍થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે અને પાકિસ્‍તાનમાં પાણી માટે બૂમો પડી રહી છે. દેશના ઘણા મોટા બંધ સુકાઈ જવાની આરે પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે જમ્‍મુ અને કાશ્‍મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતે તાત્‍કાલિક અસરથી સિંધુ જળ સંધિને સ્‍થગિત કરી દીધી હતી, જેમાં પાકિસ્‍તાનને સરહદપાર આતંકવાદ પર કડક ચેતવણી આપવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ પણ પુનરોચ્‍ચાર કર્યો છે કે લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી.

પાકની વાવણીની મોસમમાં પાણીની અછત પાકિસ્‍તાનની સમસ્‍યાઓમાં વધારો કરી રહી છે. દેશના બે મુખ્‍ય બંધ, ઝેલમ નદી પર મંગળા ડેમ અને સિંધુ નદી પર તરબેલા ડેમમાં પાણીના સ્‍તરમાં મોટો ઘટાડો થયો છે. આ ઉપરાંત ભારત દ્વારા ચિનાબ નદીના પાણીના પ્રવાહમાં ઘટાડો થવાથી મુશ્‍કેલીઓ પણ વધી છે.

પાકિસ્‍તાનની સિંધુ નદી સિસ્‍ટમ ઓથોરિટી (IRSA) ને ટાંકીને કહેવામાં આવ્‍યું છે કે પાકિસ્‍તાનના પંજાબ અને સિંધ પ્રાંતોમાં સિંચાઈ અને વીજળી ઉત્‍પાદન માટે માંગલા અને તરબેલા ડેમનું પાણી ખૂબ જ મહત્‍વપૂર્ણ છે. જોકે, તેમના સંગ્રહમાં લગભગ ૫૦% ઘટાડો થયો છે. માહિતી અનુસાર, માંગલા ડેમમાં પાણીનું સ્‍તર હાલમાં ૫૦% કરતા ઓછું છે. તેની કુલ ક્ષમતા ૫.૯ મિલિયન એકર ફૂટ છે, જ્‍યારે તેમાં ફક્‍ત ૨.૭ મિલિયન એકર ફૂટ પાણી બાકી છે. તે જ સમયે, તરબેલા ડેમની કુલ ક્ષમતા ૧૧.૬ MFA છે, જેમાં ફક્‍ત ૬ MFA પાણી બાકી છે.

IRSAએ પોતાના નિવેદનમાં ચિંતા વ્‍યક્‍ત કરી છે અને કહ્યું છે કે આવી સ્‍થિતિમાં પાકિસ્‍તાનને સમજદારીપૂર્વક પાણીનો ખર્ચ કરવાની જરૂર પડશે. પરિસ્‍થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પાકિસ્‍તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ પોતે આંતરરાષ્‍ટ્રીય મંચો પર પાણીનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. શાહબાઝે આ મુદ્દા પર વાતચીત માટે ઘણી વખત વિનંતી કરી છે. જોકે, ભારતે સ્‍પષ્ટપણે કહ્યું છે કે તે પાકિસ્‍તાન સાથે ફક્‍ત આતંકવાદ અને પીઓકે પર જ ચર્ચા કરશે

Related posts

100 રૂપિયા, 10 રૂપિયા અને 5 રૂપિયાની ચલણી નોટોની જૂની સીરીઝ ધીમે ધીમે RBI પરત લેવાની યોજના

Ahmedabad Samay

૧૭મી બાદ નવી ગાઈડલાઈન પ્રમાણે થશે કામકાજ, ૧૫મી એ રજૂ થઇ શકે છે નવી ગાઈડલાઈન.

Ahmedabad Samay

શ્રીનગરનાં લાલચોક પર આજે શ્રી કૃષ્ણની શોભાયાત્રાનું આયોજન કરી જન્માષ્ટમી ઉજવાઇ

Ahmedabad Samay

દેશને હચમચાવીદે તેવી ઘટના,શ્રીનગરમાં હિન્દુ અને શિખ શિક્ષકને સ્કૂલમાં ઘૂસીને આતંકવાદીઓએ મોતને ઘાટ ઉતાર્યા

Ahmedabad Samay

મોરોક્કોમાં શુક્રવારે રાત્રે આવેલા ભયાનક ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૦૩૭ લોકોના મોત થયા

Ahmedabad Samay

પબજી ગેમ્સ ના ચાહકો માટે ખુશીના સમાચાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો