February 5, 2026
ગુજરાત

ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને બ્રિજની ચકાસણી કરીને, તેમના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ

સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં રોડ-રસ્તાઓ અને બ્રિજને ભારે નુકસાન થયું છે. જેથી રાહદારીઓ અને મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વિભાગને દિશાનિર્દેશ અને સૂચનાઓ આપી હતી.

જે અંતર્ગત શહેરી વિકાસ વિભાગ દ્વારા આ ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને બ્રિજની ચકાસણી કરીને, તેમના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ રહી છે. રાજ્યમાં કોર્પોરેશન વિસ્તારોમાં કુલ ૩૬૪ બ્રિજ આવેલા છે. જે પૈકી ૨૩૧ બ્રિજ ખુબ સારી સ્થિતિમાં, ૮૯ બ્રિજ સારી સ્થિતિમાં તેમજ ૩૯ બ્રિજ જર્જરિત સ્થિતિમાં છે. વધુમાં, આ જર્જરિત બ્રિજનું સમારકામ પ્રગતિમાં છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૭૯ બ્રિજમાંથી ૬૧ બ્રિજ ખુબ સારી સ્થિતિમાં, ૧૦ બ્રિજ સારી સ્થિતિમાં અને ૦૩ બ્રિજ જર્જરિત સ્થિતિમાં છે. તેવી જ રીતે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૨૦ બ્રિજ પૈકી ૧૦ બ્રિજ ખુબ સારી સ્થિતિમાં અને ૧૦ બ્રિજ સારી સ્થિતિમાં, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ ૦૩ બ્રિજમાંથી ૦૨ ખુબ સારી સ્થિતિમાં, ૦૧ સારી સ્થિતિમાં, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ ૨૭ બ્રિજમાંથી ૨૦ ખુબ સારી સ્થિતિમાં, ૦૫ સારી સ્થિતિમાં અને ૦૨ જર્જરિત સ્થિતિમાં છે.
આ ઉપરાંત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ ૨૧ બ્રિજમાંથી ૧૮ ખુબ સારી સ્થિતિમાં અને ૦૩ જર્જરિત સ્થિતિમાં છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૨૦ બ્રિજમાંથી ૧૫ ખુબ સારી સ્થિતિમાં, ૦૪ સારી સ્થિતિમાં અને ૦૧ જર્જરિત સ્થિતિમાં છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૧૨૧ બ્રિજમાંથી ૮૦ ખુબ સારી સ્થિતિમાં, ૧૫ સારી સ્થિતિમાં અને ૨૬ જર્જરિત સ્થિતિમાં છે, તેમજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૪૩ બ્રિજમાંથી ૧૧ ખુબ સારી સ્થિતિમાં, ૩૦ સારી સ્થિતિમાં અને ૦૨ જર્જરિત સ્થિતિમાં, આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં કુલ ૦૫ બ્રિજમાંથી ૦૧ ખુબ સારી સ્થિતિમાં અને ૦૪ બ્રિજ સારી સ્થિતિમાં છે.

Related posts

આંબાવાડી વિસ્તારમાં સામન્ય બાબતે ઝઘડો થતા તલવારનો ઘા મારતા ૮૮ ટાંકા આવ્યા

Ahmedabad Samay

નિકિતા તોમરને ન્યાય મળી રહે માટે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રીને આવેદન પત્ર અપાયું.

Ahmedabad Samay

અમદાવાદમાં દિલ્હીની બે ટ્રાંસજેન્ડર મહિલાઓની યુવકોને ડેટીંગ એપ પર ફસાવી લૂંટની માયાજાળ

Ahmedabad Samay

નિકિતા તોમર અને પરિવારને ન્યાય મળે અને આરોપીને સખ્ત સજા મળે તે અર્થે એકતા એજ લક્ષ્ય દ્વાર આવેદનપત્ર આપ્યું

Ahmedabad Samay

અમદાવાદ – વિશાલા પાસે જર્જરીત થયેલા શાસ્ત્રી બ્રિજનું 5.50 કરોડના ખર્ચે સમારકામ કરાશે

Ahmedabad Samay

પહેલગામ હુમલામાં મૃતક શૈલેષભાઈની પત્ની શિતલબેનએ જણાવ્યું હતું કે મને મારી સરકાર પર પુરેપુરો ભરોસો હતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો