May 9, 2026
ગુજરાત

વડોદરા બાદ જૂનાગઢના માંગરોળ તાલુકાના આજક ગામ નજીક, આત્રોલીથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલો બ્રિજનો સ્લેબ અચાનક તૂટી પડ્યો

રાજ્યમાં પુલ દુર્ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા-આણંદ વચ્ચેના ગંભીરા પુલ અકસ્માતને હજુ માંડ સાત દિવસ થયા છે ત્યાં જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર પુલનો સ્લેબ ધરાશાયી થવાની ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટનાએ ફરીથી રાજ્યના બ્રિજના સમારકામ અને જાળવણી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
માંગરોળ તાલુકાના આજક ગામ નજીક, આત્રોલીથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલા એક મહત્વના બ્રિજનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટના તે સમયે બની જ્યારે પુલ પર સમારકામનું કામ ચાલી રહ્યું હતું. સ્લેબ ધરાશાયી થતાં જ પુલ પર ઉભેલા અનેક લોકો અને એક હીટાચી મશીન ધડામ દઈને નદીમાં ખાબક્યા હતા, જેના કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી.


હીટાચી મશીન નદીમાં ખાબક્યું, લોકો પણ પડ્યા:
આજે સવારે પુલના સમારકામની કામગીરી હીટાચી મશીન સાથે ચાલી રહી હતી. ત્યારે જ અચાનક પુલનો સ્લેબ તૂટી પડતા મોટા અવાજ સાથે હીટાચી મશીન નીચે નદીમાં ખાબકી ગયું હતું. આ ઘટના સમયે પુલના સ્લેબ પર આઠથી દસ જેટલા લોકો પણ ઉભા હતા, જેઓ સ્લેબ તૂટતાની સાથે જ સીધા નદીમાં પડ્યા હતા. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈને ગંભીર ઈજા પણ થઈ નથી, જે એક રાહતભરી બાબત છે.


મહત્વપૂર્ણ માર્ગ પર અસર:
મહત્વની વાત એ છે કે આજક ગામે આવેલો આ પુલ કેશોદને માધવપુર સાથે જોડતો એક અતિ મહત્વનો માર્ગ છે. દરરોજ મોટી સંખ્યામાં વાહનો આ પુલ પરથી પસાર થાય છે. આવા વ્યસ્ત માર્ગ પર સમારકામ દરમિયાન બ્રિજનો સ્લેબ તૂટી પડવો એ બાંધકામની ગુણવત્તા અને સમારકામની પદ્ધતિ પર અનેક પ્રશ્નાર્થ સર્જે છે.

આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થયો છે, જેમાં પુલનો સ્લેબ તૂટતાં લોકોમાં ભય અને ગભરાટનો માહોલ સ્પષ્ટપણે જોવા મળે છે. વડોદરા પછી જૂનાગઢમાં બનેલી આ ઘટનાએ રાજ્યના પુલોની સુરક્ષા અને જાળવણી પ્રત્યે સત્તાવાળાઓની બેદરકારી અંગે સવાલો ઉભા કર્યા છે.

Related posts

મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ઓગસ્ટ સુધીમાં સંપૂર્ણ કાર્યરત્ થઇ જાય તેવી સંભાવના

Ahmedabad Samay

ગુજરાતમાં હવે દારૂની પરમિટ મેળવવી વધુ સરળ, હવે ઓનલાઇન ફોર્મ ભરી શકશે

Ahmedabad Samay

નવા નરોડાની સાઉથ ઇન્ટરનેશનલ સ્કૂલએ આજના નિર્ણયને અવકાર્યું, અમે બધી રીતે છીએ તૈયાર: પ્રવિણ પિલ્લાઈ (એમ.ડી)

Ahmedabad Samay

કોરોના કારણે અમદાવાદમાં ત્રણ રથ નિકળશે

Ahmedabad Samay

ગુજરાતનું એક ડગલું અનલોક તરફ, અનલોક માટેની ગાઇડલાઈન જાહેર

Ahmedabad Samay

મેઘાણીનગરમાં વહુને ફીનાઇલ પીવડાવી મારવાના કિસ્સામાં યોગ્ય કાર્યવાહી નથતા, ગુન્હેગાર બન્યા વધુ બેફામ, વારંવાર ઝઘડો અને માનસિક ત્રાસ વધુ આપતા ફરી ફરિયાદ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો