અમદાવાદ શહેર વિસ્તાર ના બુખારાના મોહલ્લા માં આવેલું શ્રી ભંડારેશ્વર મહાદેવ મંદિર તેની સ્થાપના 1931 માં કરવામાં આવેલી હતી,આ મંદિર આશરે 150 જૂનું અતિ પ્રાચીન મંદિર છે તાજેતરમાં આ વર્ષે આ મંદિર નો જિણોદ્વાર કરવામાં આવ્યો હતો,
આ મંદિર ના જિણોદ્વાર પછી ભક્તો માટે મંદિર ખુલ્લુ રહે તે માટે 17 મી ઓગસ્ટ 2025 ને રવિવાર શ્રાવણ વદ નોમ એ લઘુરુદ્ર હવન પણ કરવામાં આવ્યો હતો. આ મંદિર મુસ્લિમ વિસ્તારમાં હોવા છતાં બધાનો સાથ સહકાર મળી રહ્યો હતો અને કોમી એકતાની ઝલક જોવા મળી હતી
પાર્થ કાનડે તથા કાનડે પરિવાર તરફથી સમાજના લોકો ને કે આપણો સનાતન ધર્મ જળવાઈ રહે તે માટે સમાજ ના જે લોકો સિટી વિસ્તારમાં ખરીદી માટે આવે છે ત્યારે એ લોકો શ્રી ભંડારેશ્વર મહાદેવ ના દર્શન કરે જેથી આપણી હિંદુ ધર્મ ની સંસ્કૃતિ અને આસ્થા જળવાઈ રહે તેવી લોકો ને વિનંતી કરી ને શુભેરછાઓ પાઠવી હતી.
