May 7, 2026
ધર્મ

શુ તમે જાણો છો ભારતના ઉત્તરાખંડમાં  એક માથા વિનાના ગણેશ બિરાજમાન છે ?

શુ તમે જાણો છો ભારતના ઉત્તરાખંડમાં  એક માથા વિનાના ગણેશ બિરાજમાન છે, દુનિયાનું એક માત્ર મંદિર છે જયાં ગણપતિ માથા વિનાના જોવા મળે છે. પૌરાણિક કથા મુજબ પુત્ર ગણેશ અને પિતા ભગવાન શીવ વચ્‍ચે યુધ્‍ધ થયું ત્‍યારે ગણેશનો શીવના ત્રિશુલથી શિરચ્‍છેદ થયો હતો.

ત્‍યાર પછી ધડ પર હાથીનું મસ્‍તક બેસાડીને ગણેશને જીવંત કરવામાં આવ્‍યા હતા. માથા વિનાના ગણપતિનું મંદિર ઉતરાખંડના રુદ્રપ્રયાગ જિલ્‍લામાં આવેલું છે. ભગવાન ગણેશના આ મંદિરને સ્‍થાનિક લોકો મુંડકટિયા મંદિર તરીકે ઓળખે છે. મુંડ એટલે મસ્‍તિક અને કટિયા એટલે કપાએલું એવો અર્થ થાય છે. આ સ્‍થળ રુદ્વપ્રયાગથી ગૌરી કુંડ હાઇવે પરક સોનપ્રયાગની નજીક આવેલું છે. ગણેશ ઉત્‍સવની શરુઆત થાય એટલે ભકતોની ભીડ જામે છે.લોકો મુડકટિયા ગણપતિ પર ખૂબ શ્રધ્‍ધા ધરાવે છે

મસ્‍તક વગરના ગણપતિ જોઇને લોકો શિવ પાર્વતી અને પુત્રની ગણેશની કથાને યાદ કરે છે. વિધ્‍નહર્તાના દર્શન માટે કેદારનાથ અને રુદ્વપ્રચાગ આવતા પ્રવાસીઓ આ મંદિરે અચૂક આવે છે. ઉતરાખંડમાં ગણેશ સાથે સંકળાયેલું બીજુ એક તીર્થ આવેલું છે જેમાં માઁણા ગામંની વ્‍યાસ ગુફામાં ગણેશજીએ મહાભારતની કથા લખી હતી. આ સ્‍થળ બદ્રીનાથથી ૫ કિમી દૂર છે જેને વ્‍યાસપોથી ગુફા તરીકે ઓળખવામાં આવે છે.  અહીં ગણેશજી અને વેદ વ્‍યાસના દર્શન કરવા આવે છે.

Related posts

રાશિ પ્રમાણે કરો હોળીના આ ઉપાય, વરસશે દેવી લક્ષ્મીના આશીર્વાદ; બધી મુશ્કેલીઓ દૂર થશે

Ahmedabad Samay

48 કલાક પછી બની રહ્યો છે દુર્લભ સંયોગ, તરત જ ચમકશે આ લોકોનું નસીબ, વરસાદ થશે પૈસા!

Ahmedabad Samay

વર્ષનો પહેલો સૂર્યગ્રહણ દેખાશે ૧૦ જૂને

Ahmedabad Samay

ક્યાં જાતકો એ કેવી રીતે આજે શિવજીને અભિષેક કરવું જાણો પ્રખ્યાત શાસ્ત્રી શ્રી વિષ્ણુકુમાર રાવલ દ્વારા અમદાવાદ સમય પર

Ahmedabad Samay

ધીરેન્દ્ર શાસ્ત્રીએ “આઈ લવ મોહમ્મદ” પર પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું, “આઈ લવ મોહમ્મદ” ખરાબ નથી, પરંતુ “આઈ લવ મહાદેવ” પણ સ્વીકાર્ય છે.

Ahmedabad Samay

ફેંગશુઈની આ એવિલ આઈ (Evil Eye) દૂર કરે છે લાગેલી ખરાબ નજર, આ રીતે કરો ઉપયોગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો