May 7, 2026
ધર્મ

શુ તમે જાણો છો ભારતના ઉત્તરાખંડમાં  એક માથા વિનાના ગણેશ બિરાજમાન છે ?

શુ તમે જાણો છો ભારતના ઉત્તરાખંડમાં  એક માથા વિનાના ગણેશ બિરાજમાન છે, દુનિયાનું એક માત્ર મંદિર છે જયાં ગણપતિ માથા વિનાના જોવા મળે છે. પૌરાણિક કથા મુજબ પુત્ર ગણેશ અને પિતા ભગવાન શીવ વચ્‍ચે યુધ્‍ધ થયું ત્‍યારે ગણેશનો શીવના ત્રિશુલથી શિરચ્‍છેદ થયો હતો.

ત્‍યાર પછી ધડ પર હાથીનું મસ્‍તક બેસાડીને ગણેશને જીવંત કરવામાં આવ્‍યા હતા. માથા વિનાના ગણપતિનું મંદિર ઉતરાખંડના રુદ્રપ્રયાગ જિલ્‍લામાં આવેલું છે. ભગવાન ગણેશના આ મંદિરને સ્‍થાનિક લોકો મુંડકટિયા મંદિર તરીકે ઓળખે છે. મુંડ એટલે મસ્‍તિક અને કટિયા એટલે કપાએલું એવો અર્થ થાય છે. આ સ્‍થળ રુદ્વપ્રયાગથી ગૌરી કુંડ હાઇવે પરક સોનપ્રયાગની નજીક આવેલું છે. ગણેશ ઉત્‍સવની શરુઆત થાય એટલે ભકતોની ભીડ જામે છે.લોકો મુડકટિયા ગણપતિ પર ખૂબ શ્રધ્‍ધા ધરાવે છે

મસ્‍તક વગરના ગણપતિ જોઇને લોકો શિવ પાર્વતી અને પુત્રની ગણેશની કથાને યાદ કરે છે. વિધ્‍નહર્તાના દર્શન માટે કેદારનાથ અને રુદ્વપ્રચાગ આવતા પ્રવાસીઓ આ મંદિરે અચૂક આવે છે. ઉતરાખંડમાં ગણેશ સાથે સંકળાયેલું બીજુ એક તીર્થ આવેલું છે જેમાં માઁણા ગામંની વ્‍યાસ ગુફામાં ગણેશજીએ મહાભારતની કથા લખી હતી. આ સ્‍થળ બદ્રીનાથથી ૫ કિમી દૂર છે જેને વ્‍યાસપોથી ગુફા તરીકે ઓળખવામાં આવે છે.  અહીં ગણેશજી અને વેદ વ્‍યાસના દર્શન કરવા આવે છે.

Related posts

શુક્રવારે આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, અહીં વાંચો આજનું રાશિફળ

Ahmedabad Samay

વર્ષનો પહેલો સૂર્યગ્રહણ દેખાશે ૧૦ જૂને

Ahmedabad Samay

ફેંગશુઈની આ એવિલ આઈ (Evil Eye) દૂર કરે છે લાગેલી ખરાબ નજર, આ રીતે કરો ઉપયોગ

Ahmedabad Samay

રવિવાર ના રોજ મોહિની એકાદશી વ્રત છે,જાણો મોહિની વ્રતની મહિમા અને વ્રતના ફાયદા. શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા જાણો રાશિ પ્રમાણે સપ્તાહની સ્વાસ્થ સંબધિત મહત્વની બાબત

Ahmedabad Samay

ચાણક્ય નીતિઃ આ 3 કામ માટે પૈસા ખર્ચતી વખતે કંજૂસાઈ ન કરો, વધે છે ધન-સંપત્તિ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો