January 24, 2026
ધર્મ

શુ તમે જાણો છો ભારતના ઉત્તરાખંડમાં  એક માથા વિનાના ગણેશ બિરાજમાન છે ?

શુ તમે જાણો છો ભારતના ઉત્તરાખંડમાં  એક માથા વિનાના ગણેશ બિરાજમાન છે, દુનિયાનું એક માત્ર મંદિર છે જયાં ગણપતિ માથા વિનાના જોવા મળે છે. પૌરાણિક કથા મુજબ પુત્ર ગણેશ અને પિતા ભગવાન શીવ વચ્‍ચે યુધ્‍ધ થયું ત્‍યારે ગણેશનો શીવના ત્રિશુલથી શિરચ્‍છેદ થયો હતો.

ત્‍યાર પછી ધડ પર હાથીનું મસ્‍તક બેસાડીને ગણેશને જીવંત કરવામાં આવ્‍યા હતા. માથા વિનાના ગણપતિનું મંદિર ઉતરાખંડના રુદ્રપ્રયાગ જિલ્‍લામાં આવેલું છે. ભગવાન ગણેશના આ મંદિરને સ્‍થાનિક લોકો મુંડકટિયા મંદિર તરીકે ઓળખે છે. મુંડ એટલે મસ્‍તિક અને કટિયા એટલે કપાએલું એવો અર્થ થાય છે. આ સ્‍થળ રુદ્વપ્રયાગથી ગૌરી કુંડ હાઇવે પરક સોનપ્રયાગની નજીક આવેલું છે. ગણેશ ઉત્‍સવની શરુઆત થાય એટલે ભકતોની ભીડ જામે છે.લોકો મુડકટિયા ગણપતિ પર ખૂબ શ્રધ્‍ધા ધરાવે છે

મસ્‍તક વગરના ગણપતિ જોઇને લોકો શિવ પાર્વતી અને પુત્રની ગણેશની કથાને યાદ કરે છે. વિધ્‍નહર્તાના દર્શન માટે કેદારનાથ અને રુદ્વપ્રચાગ આવતા પ્રવાસીઓ આ મંદિરે અચૂક આવે છે. ઉતરાખંડમાં ગણેશ સાથે સંકળાયેલું બીજુ એક તીર્થ આવેલું છે જેમાં માઁણા ગામંની વ્‍યાસ ગુફામાં ગણેશજીએ મહાભારતની કથા લખી હતી. આ સ્‍થળ બદ્રીનાથથી ૫ કિમી દૂર છે જેને વ્‍યાસપોથી ગુફા તરીકે ઓળખવામાં આવે છે.  અહીં ગણેશજી અને વેદ વ્‍યાસના દર્શન કરવા આવે છે.

Related posts

આ દિવસે ઉજવાશે ગણેશ ચતુર્થી, જાણો ગણપતિની સ્થાપનાથી લઈને પૂજા કરવાની રીત, શુભ મુહૂર્ત અને મહત્ત્વ

Ahmedabad Samay

જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની અંદર ‘વ્યાસ કા તેખાના’ વિસ્તારમાં હિન્દુ દેવી-દેવતાઓની પૂજા કરવાનો અધિકાર આપ્યો

Ahmedabad Samay

કન્યા, તુલા સહિત આ રાશિઓ માટે આજનો દિવસ રહેશે લાભદાયી, અહીં વાંચો રાશિફળ

Ahmedabad Samay

કૃષ્ણનગરના મહાકાળી મંદિરે આવેલ શિવલિંગની પૂજા કરવા ભક્તો ઉમટ્યા હતા

Ahmedabad Samay

3 રાશિના લોકો 8 દિવસ પછી નોટમાં રમશે, સૂર્ય-ગુરુની યુતિ કરોડપતિ બનાવશે!

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ પ્રમુખ શ્રી મહેશ સિંહ કુશવાહાજી દ્વારા વૃંદાવન ધામમાં ભગવદ કથાનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો