July 18, 2026
અપરાધદેશ

લખનઉ :બક્ષી કા તળાવ વિસ્‍તારમાં એક નિર્જન જંગલમાં ચાર યુવકોએ અપહરણ બાદ ૧૪ વર્ષની છોકરી પર દુષ્‍કર્મ આચર્યું હતું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ગ્રામીણ વિસ્‍તારમાં એક શરમજનક ઘટના બની છે. અહીં, બક્ષી કા તળાવ વિસ્‍તારમાં એક નિર્જન જંગલમાં ચાર યુવકોએ ૧૪ વર્ષની છોકરી પર દુષ્‍કર્મ આચર્યું હતું. પોલીસે જણાવ્‍યું કે આ ઘટના ગુરુવાર રાતની છે. પીડિતા પોતાના ઘરેથી નીકળી હતી ત્‍યારે આરોપી યુવકોએ તેનું અપહરણ કરી તેને ગાડીમાં બેસાડી જંગલમાં લઈ ગયેલ.

પીડિતાના પિતાએ શુક્રવારે સવારે પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપી શિવા સિંહ, રાજ અને અન્‍ય બે અજાણ્‍યા વ્‍યક્‍તિઓ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

પીડિત છોકરી ગ્રામીણ વિસ્‍તારમાં રહે છે. ગુરુવારે સાંજે તે ઘરની નજીક ફરી રહી હતી, ત્‍યારે ચાર યુવકો ત્‍યાં આવ્‍યા. તેઓએ છોકરીનું અપહરણ કરી તેને એક ગાડીમાં ઉપાડી ગયેલ.

મોડી રાત સુધી છોકરી ન મળતાં તેના પરિવારજનો ચિંતિત થયા. તેમણે ઘણી શોધખોળ કરી ત્‍યારે છોકરી જંગલ નજીક બેભાન અવસ્‍થામાં મળી. તેને તાત્‍કાલિક નજીકની હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ હતી, પરિવારે ફરિયાદ નોંધાવી. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને લોકોની પૂછપરછ કરી રહી છે.

Related posts

તાંડવના કલાકારોની જીભ કાપી લાવનારને એક કરોડ રૂપિયાનું ઈનામ: કરણી સેના

Ahmedabad Samay

મોદી સરકારની મોટી જીત,લોકસભામાં વક્‍ફ સંશોધન બિલ પસાર, વક્‍ફ બિલ સંશોધનના પક્ષમાં ૨૮૮ મત પડ્‍યા હતા અને વિરોધમાં ૨૩૨ મત પડ્‍યા, જાણો વકફ બોર્ડની સંપૂર્ણ માહિતી

Ahmedabad Samay

રાજસ્થાનમાં ગૃહિણીઓમાં ખુશીનો માહોલ, ગેહલોત સરકારે રાંધણ ગેસમાં આપી રાહત, ફક્ત ૫૦૦રૂ. મળશે ગેસ સિલેન્ડર

Ahmedabad Samay

મણિપુર સરકારે મીરાબાઈ ચાનુને મણિપુર માં એડિશનલ એસ.પી બનાવી.

Ahmedabad Samay

જાણીતા સંસ્કૃત વિદ્વાન પદ્મશ્રી બન્નાજી ગોવિંદાચાર્યનું નિધન

Ahmedabad Samay

રાજધાની દિલ્હીમાં સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-૧ નજીક એક ઈકો વાનમાં થયેલા જોરદાર ધમાકો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો