August 8, 2026
ગુજરાત

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ફરી મુલાકાતીઓ માટે બંધ કરાયો છે. વોક વે પાણીમાં ગરકાવ થયો

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ફરી મુલાકાતીઓ માટે બંધ કરાયો છે. જેમાં સાબરમતી નદીનો વોક વે પાણીમાં ગરકાવ થયો છે. તેમજ સાબરમતી નદીનું લેવલ 127 ફૂટ પર પહોંચ્યું છે. વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાંથી 90 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં 84 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તથા વાસણા બેરેજના 3થી 29 નંબરના ગેટ ખોલવામાં આવ્યા છે.

અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં પાણી જ પાણી છે. જેમાં હાટકેશ્વર વિસ્તારના રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ પર ઘૂટણસમા પાણી ભરાયા છે .વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. તેમજ અમદાવાદના મણિનગર જવાહર ચોક રોડ પર પાણી ભરાયું છે. તેમજ સમગ્ર અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે.

Related posts

અમદાવાદ – રખડતા ઢોર અને રોડ રસ્તા મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ સુનાવણી

Ahmedabad Samay

“ટુંક સમયમાં ધોરણ ૬થી ૮ અને પછી ૧ થી ૭ના વર્ગો શરૂ થઈ શકે છે

Ahmedabad Samay

કોનવેલ્થ ગેમ્સની યજમાની મળતા અમદાવાદમાં બનશે 12 જેટલા નવા બ્રિજ,1 વર્ષમાં 8 બ્રિજ થઇ જશે તૈયાર

Ahmedabad Samay

ખેડૂતો માટે એક મહત્‍વપૂર્ણના સમાચાર રાજ્‍યમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ ૯ નવેમ્‍બરથી કરવામાં આવશે

Ahmedabad Samay

આ મંગળવારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જાહેર જનતા માટે ફરી શરૂ થશે

Ahmedabad Samay

આજે શનિ અમાવસ્યનો દિવસ,શનિ દોષ, સદેસતી અથવા ધૈયાથી પીડિત લોકો માટે આ દિવસ શુભ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો