March 25, 2026
ગુજરાત

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ફરી મુલાકાતીઓ માટે બંધ કરાયો છે. વોક વે પાણીમાં ગરકાવ થયો

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ફરી મુલાકાતીઓ માટે બંધ કરાયો છે. જેમાં સાબરમતી નદીનો વોક વે પાણીમાં ગરકાવ થયો છે. તેમજ સાબરમતી નદીનું લેવલ 127 ફૂટ પર પહોંચ્યું છે. વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાંથી 90 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં 84 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તથા વાસણા બેરેજના 3થી 29 નંબરના ગેટ ખોલવામાં આવ્યા છે.

અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં પાણી જ પાણી છે. જેમાં હાટકેશ્વર વિસ્તારના રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ પર ઘૂટણસમા પાણી ભરાયા છે .વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. તેમજ અમદાવાદના મણિનગર જવાહર ચોક રોડ પર પાણી ભરાયું છે. તેમજ સમગ્ર અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે.

Related posts

સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે દેશભરના સ્વચ્છ શહેરોમાં બીજો ક્રમ મેળવ્યો

Ahmedabad Samay

કડી વિધાનસભા ચૂંટણીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું

Ahmedabad Samay

નિવૃત અધિકારીઓને ચીફ ઓફિસરની નોકરી આપવાની જાહેરાતને બદલે ગુજરાતના ઉચ્‍ચ શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીમાં તક આપવા કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ માંગણી કરી

Ahmedabad Samay

ગુજરાત રાજસ્થાન મિત્રતા સંઘ અને ભાષા-ભાષા સેલ ભાજપ અમદાવાદ દ્વારા સ્વાગત અને સન્માન સ્માહરો યોજાયો

Ahmedabad Samay

૦૬ માસ બાદ પ્રવાસીઓ માટે ખુલ્યા દીવના તમામ બીચ

Ahmedabad Samay

અમદાવાદ: AMCએ 10 માંથી 3 બિડર્સને શોર્ટલિસ્ટ કર્યા જેમણે સમાન રકમની બોલી લગાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો