March 25, 2025
ગુજરાત

“ટુંક સમયમાં ધોરણ ૬થી ૮ અને પછી ૧ થી ૭ના વર્ગો શરૂ થઈ શકે છે

રાજય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, જો કોરોનાના કેસો નિયંત્રણમાં રહેશે અને ત્રીજી લહેરની સ્થિતિ નહીં સર્જાય તો સરકાર પ્રાઈમરી અને સેકન્ડરી શાળાઓનો ઓફલાઈન અભ્યાસ ઓગષ્ટથી શરુ કરવાનો વિચાર ધરાવે છે.

આ શકયતાઓ વિષે રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, અમે આગામી થોડા દિવસોમાં ધોરણ છથી આઠના વર્ગો શરુ કરવાનો વિચાર કરી રહ્યા છીએ. જો કોરોનાના કેસમાં વધારો નહીં નોંધાય તો ધોરણ એકથી પાંચના વર્ગો પણ ઓગષ્ટના અંત સુધી શરુ કરી દેવામાં આવશે. અમે દૈનિક આંકડાઓને ધ્યાનમાં રાખીએ છીએ અને કેસની સંખ્યાને ધ્યાનમાં રાખીને કલાસરુમમાં શિક્ષણની શરુઆત કરવામાં આવશે. તેના માટે કોરોનાના નિયમોનું પાલન કરવાનું રહેશે.તેમણે આગળ જણાવ્યું કે, સરકારે ધોરણ ૯ થી ૧૨ના વર્ગો અને કોલેજોના ઓફલાઈન શિક્ષણની મંજૂરી આપી દીધી છે. અમને સારો સહકાર મળી રહ્યો છે. આવનારા દિવસોમાં તબક્કાવાર રીતે ધોરણ છથી આઠ અને ધોરણ એકથી સાતના વર્ગો પણ શરુ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની પહેલી લહેર પછી રાજય સરકારે શાળાઓ અને કોલેજો શરુ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બીજી લહેર શરુ થઈ જવાને કારણે તે બંધ કરવામાં આવી હતી. તાજેતરમાં રાજય સરકારે પહેલા કોલેજો શરુ કરવાની મંજૂરી આપી, ત્યારપછી ધોરણ ૯ થી ૧૨ના વર્ગો શરુ કરવાની મંજૂરી આપી હતી.

આ બાબત સાથે સંબંધ ધરાવતા એક સૂત્રએ જણાવ્યું કે, રાજય સરકારનો વિચાર ૧૫મી ઓગષ્ટ પહેલા ધોરણ ૬ થી ૮ના વર્ગો શરુ કરવાનો છે અને મહિનાના અંત સુધીમાં અન્ય વર્ગો શરુ કરવામાં આવશે

New up 01

 

Related posts

રાષ્ટ્રવાદી યોધ્ધાઓનુ રણ સંગ્રામ જન મહામંથન માટે નમો સેના દ્વારા ગુજરાતના રાષ્ટ્રવાદી અગ્રણીઓ‌ સાથે બેઠક યોજાઈ

Ahmedabad Samay

ગુજરાત હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલ કેસ મામલે થઈ શકે છે તત્કાલિક સુનાવણી

Ahmedabad Samay

અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગિરી 2027 સુધીમાં થઈ શકે છે પૂર્ણ

Ahmedabad Samay

અમદાવાદમાં વધુ ૦૮ વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકાયા

Ahmedabad Samay

ગુજરાત હાઈકોર્ટે સુરક્ષાની માંગણી કરતી અરજી પર સરકારને નોટિસ જારી કરી

Ahmedabad Samay

મેટ્રોનું બાકી કામ ડિસેમ્બર 2023માં થઇ જશે પૂર્ણ, વિધાનસભામાં પૂછાયો પ્રશ્ન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો