March 23, 2026
ગુજરાત

અમદાવાદ – રખડતા ઢોર અને રોડ રસ્તા મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ સુનાવણી

રખડતા ઢોર અને રોડ રસ્તા મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટના હુકમના તિરસ્કાર માટે અમદાવાદ મનપા કમિશનર જવાબદાર હોવાની રજૂઆત કરાઈ હતી. રખડતા ઢોર અને રોડ રસ્તા મામલે સુનાવણી થઈ હતી. વારંવાર હુકમો છતાં યોગ્ય કાર્યવાહી નહીં થઈ હોવાનું કોર્ટે નોંધ્યું હતું.

બેદરકારી બદલ કોઈ એક ઈન્ક્રિમેન્ટ રોકવાથી અધિકારીઓને કોઈ ફરક નથી પડતો તે પ્રકારે રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ કોર્ટના તિરસ્કર માટે સિટી એન્જનિયર જવાબદાર હોવાની કોર્ટમાં રજૂઆત કરાઈ હતી.
કોર્ટે ટ્રાફીક અને પાર્કિંગના મુદ્દે પણ એએમસીની ઝાટકણી કાઢી હતી. જો કે, રખડતા ઢોર અને રોડ રસ્તાના બાકી કામો મામલે આગામી 29 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે.

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. એક તરફ મનપા, નગરપાલિકાઓમાં ઢોરના ત્રાસના કારણે લોકો ઘાટલ થઈ રહ્યા છે તો ક્યાંક કેટલીક જગ્યાએ જીવ પણ લોકોનો જઈ રહ્યો છે. આ મામલે હાઈકોર્ટે અગાઉ પણ એએમસીની ઝાટકણી કાઢી હતી ત્યારે આ મામલે વધુ સુનાવણી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે. હાઈકોર્ટ સરકારને કામગિરીનો અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો હતો. ત્યારે આ મામલે વધુ સુનાવણી આગામી સમયમાં થશે.

Related posts

રાજકોટ ખાતે એમએસએમીઇ કોનકલેવનું આયોજન: વેપાર ઉદ્યોગને લાગતાં 20 સ્ટોલ

Ahmedabad Samay

ગુરુવારથી દીપોત્‍સવી પર્વની રોનક શરૂ થઇ જશે

Ahmedabad Samay

ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ કોન્ટેસ્ટ 2020 દ્વારા સ્માર્ટ સિટી અમદાવાદ ને બે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા

Ahmedabad Samay

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગ્રાહકની ફરિયાદ બાદ પ્રહલાદનગરનું મેકડોનાલ્ડ્સ આઉટલેટ નિયમના ઉલ્લંઘન બાદ સીલ કરી દેવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદમાં એક જ સપ્તાહમાં નોંધાયા 12 હજાર આંખ આવવાના કેસ નોંધાયા

Ahmedabad Samay

મનનાં વિચારો થી પણ કોરોનાને હરાવી શકોછો : વિજય કોતાપકર(મોટિવેશન સ્પીકર)

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો