December 16, 2025
દેશરાજકારણ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ  આજે ભાજપ વર્કશોપમાં હાજરી આપી હતી. પીએમ મોદી વર્કશોપમાં સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા જોવા મળ્યા

આજે રવિવારે સંસદ સંકુલમાં ભાજપના સાંસદોની બે દિવસીય વર્કશોપ શરૂ થઇ છે. જે દરમિયાન GST માં સુધારા માટે પ્રધાનમંત્રી મોદીનું સન્માન કરવામાં આવે તેવી શક્યતા છે. જીએસટીમાં થયેલા સુધારાને કારણે સામાન્ય માણસને મોટી રાહત મળી છે. જેનાં કારણે તેમનું આ સન્માન કરવાનું આયોજન કરી રહ્યા છે.

આ વર્કશોપનું આયોજન ઘણા લાંબા સમય પહેલા જ કરી લેવાયું હતું. પીએમ મોદી પણ તેમાં હાજર રહ્યા હતા. જો કે પીએમ મોદી કાર્યશાળામાં છેલ્લી હરોળમાં બેઠેલા જોવા મળ્યા હતા. તેમનો સરળ અંદાજ જોઇને સૌકોઇ આશ્ચર્યમાં મુકાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ  આજે ભાજપ વર્કશોપમાં હાજરી આપી હતી. પીએમ મોદી વર્કશોપમાં સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા જોવા મળ્યા હતા. પીએમની અધ્યક્ષતામાં યોજાયેલી વર્કશોપમાં સરકાર દ્વારા જીએસટી દર ઘટાડવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ભાજપના સાંસદોની બે દિવસીય વર્કશોપ યોજાઈ રહી છે. આ વર્કશોપ રવિવારે સવારે 11 વાગ્યે શરૂ થયો હતો. પીએમ મોદી, ગૃહમંત્રી શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા તેમાં હાજર રહ્યા હતા.
ભાજપ અને તેના સાંસદોનું કહેવું છે કે, નવા GST સ્લેબથી લોકો પર ટેક્સનો બોજ ઓછો થશે અને અર્થતંત્રને વેગ મળશે. ભાજપ અને તેના સાથી પક્ષોને આશા છે કે જીવન જરૂરી અનેક ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે સામાન્ય લોકોને મોટી રાહત મળશે. તમામ વસ્તુઓમાં ટેક્સ ઘટાડાનો સરવાળો કરીએ તો મહિને ખુબ જ મોટી રાહત મળે છે. જેનો લાભ તેમને નવેમ્બરમાં યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મળી શકે છે.
પ્રેટર મુજબ, પ્રધાનમંત્રી  મોદી ગઇકાલે  શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. તેમના કાર્યાલયે X પર એક પોસ્ટમાં આ મુલાકાતનો ફોટો શેર કર્યો હતો. રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. આ મુલાકાત મોદી જાપાન અને ચીનની મુલાકાત પુર્ણ કર્યા બાદ પરત ફર્યાના થોડા દિવસો પછી થઈ હતી.
પંજાબ અને દેશના અન્ય ભાગોમાં પૂરને કારણે થયેલા વિનાશને ધ્યાનમાં રાખીને આવતીકાલે 8 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી મોદીના નિવાસસ્થાને NDA સાંસદો માટે આયોજિત રાત્રિભોજન રદ કરવામાં આવ્યો છે.

આ રાત્રિભોજન ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના એક દિવસ પહેલા નક્કી કરવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે શનિવારે રાત્રે ભાજપ પ્રમુખ જેપી નડ્ડાના નિવાસસ્થાને યોજાનારા રાત્રિભોજનને પણ રદ કરવામાં આવ્યું હતું.

Related posts

ઓલમ્પિક:કુસ્તીબાજ પ્રિયા મલિકે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીત્યો

Ahmedabad Samay

બોલીવુડના દિગ્ગજ અને લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રનું ૮૯ વર્ષની વયે થયું નિધન

Ahmedabad Samay

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે,૧૦ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને વિનામૂલ્યે વેકિસન આપશે.

Ahmedabad Samay

આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નિવાસસ્થાને યોજાયેલી કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્ર સરકારે પાકિસ્તાન સામે આકરા પગલાં લીધા

Ahmedabad Samay

નવરાત્રીમાં ફ્લેટ કે સોસાયટીઓના રહીશોએ માતાજીની પૂજા-આરતી માટે પોલીસની મંજૂરી મેળવવાની આવશ્યકતા નહિ : વિજય રૂપાણી

Ahmedabad Samay

સિક્કિમ હવે સંપૂર્ણપણે વિપક્ષ મુક્ત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો