August 8, 2026
દેશરાજકારણ

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન ચૂંટાઈ આવ્યા, સી.પી. રાધાકૃષ્ણન બન્યા નવા ઉપરાષ્ટ્રપતિ

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન ચૂંટાઈ આવ્યા છે. મંગળવારે યોજાયેલા મતદાન બાદ આજે મોડી સાંજે જાહેર થયેલા પરિણામોમાં રાધાકૃષ્ણનને કુલ ૪૫૨ મત મળ્યા હતા. તેમણે ૧૫૨ મતોના જંગી અંતરથી વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’ના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને પરાજય આપ્યો, જેમને ૩૦૦ મત મળ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ ૭૬૭ મત પડ્યા હતા, જે ૯૮ ટકા મતદાન દર્શાવે છે. જેમાંથી ૭૫૨ મત માન્ય ગણવામાં આવ્યા હતા અને ૧૫ મત અમાન્ય ઠર્યા હતા. હાર બાદ વિપક્ષના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીએ નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, “પરિણામ મારા પક્ષમાં નથી, છતાં વૈચારિક લડાઈ વધુ જોશ સાથે ચાલુ રહેશે.”
ચૂંટણીમાં એનડીએને ૪૫૨ મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસે તેમના ઉમેદવારના પક્ષમાં ૩૧૫ સાંસદોના મતદાનનો દાવો કર્યો હતો. જોકે, બીઆરએસ (જેના રાજ્યસભામાં ૪ સાંસદો છે), બીજેડી (જેના ૭ સાંસદો છે) અને અકાલી દળના એક સાંસદે પૂરના કારણે મતદાનમાં ભાગ લીધો ન હતો, જેનાથી વિપક્ષના મતોને મોટો ફટકો પડ્યો.
મતદાનની વિગતો અને ઉમેદવારોનો પરિચય
મતદાન પ્રક્રિયા સાંજે ૫ વાગ્યે પૂર્ણ થઈ હતી અને ૬ વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું હતું. તેમની સાથે કેન્દ્રીય મંત્રી કિરેન રિજીજુ, અર્જુન રામ મેઘવાલ, જીતેન્દ્ર સિંહ અને એલ. મુરુગન પણ હતા. આ ઉપરાંત, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા (જેઓ વ્હીલચેર પર આવ્યા હતા), અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જેવા દિગ્ગજ નેતાઓએ પણ મતદાન કર્યું હતું.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આરોગ્યના કારણોસર પોતાના બે વર્ષના કાર્યકાળ બાકી હોવા છતાં પદ છોડતા આ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીની ખાસ વાત એ છે કે બંને ઉમેદવારો દક્ષિણ ભારતમાંથી હતા. રાધાકૃષ્ણન તમિલનાડુના છે, જ્યારે રેડ્ડી તેલંગાણાના છે.
નવા ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન તમિલનાડુના એક અગ્રણી ઓબીસી સમુદાય ‘ગૌંડર’માંથી આવે છે અને આરએસએસની પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેઓ ૧૯૯૮ અને ૧૯૯૯માં કોઈમ્બતુરથી લોકસભા માટે ચૂંટાયા હતા. તેમને ૨૦૨૩માં ઝારખંડના અને પછી ૨૦૨૪માં મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તેમના પૂર્વવર્તી ધનખડથી વિપરીત, રાધાકૃષ્ણન વિવાદાસ્પદ રાજકીય મુદ્દાઓ પર જાહેરમાં ટિપ્પણી કરવાથી દૂર રહ્યા છે

Related posts

લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત – ચીન સૈનિકો વચ્ચે હિંસક અથડામણ

Ahmedabad Samay

નિરજસિંહ માનસિંહ તોમરની “બાપુ” સાથે શુભેચ્છા મુલાકાત

Ahmedabad Samay

લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવવા મામલે ઔવેસી અને ગિરિરાજસિંહ આમને સામને

Ahmedabad Samay

૪૧ આવશ્‍યક પેટ્રોકેમિકલ વસ્‍તુઓ પર કસ્‍ટમ ડ્‍યુટી સંપૂર્ણપણે માફ કરવામાં આવી, જાણો ઘર વપરાશ વાળી કઇ વસ્તુ થઇ સસ્તી

Ahmedabad Samay

ટૂંક સમયમાં ભારતીય ચલણ ડોલરની જગ્યા લઇ શકે છે,૧૮ દેશો ભારતીય નાણાંમાં વેપાર કરવા તૈયાર

Ahmedabad Samay

રેપો રેટ ઘટ્યા,RBI એ વ્‍યાજ દર ૬.૫૦% થી ઘટાડીને ૬.૨૫% કર્યો, મધ્યમવર્ગીય લોકોને થશે ફાયદો, કાર અને હોમલોન ના EMI થશે ઓછા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો