February 5, 2026
દુનિયાદેશ

એર ઇન્ડિયા ફ્લાઇટ 171ના દુર્ઘટના માટે બેદરકારી અને ખામીયુક્ત ઇંધણ સ્વીચને જવાબદાર ગણાવીને બોઇંગ અને હનીવેલ સામે કેસ દાખલ કર્યો

12 જૂનના રોજ થયેલી અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે શરૂઆતથી જ અમેરિકન એરોસ્પેસ કંપની બોઇંગ પર પ્રશ્નો ઉભા થયા છે. બોઇંગના ભૂતપૂર્વ કર્મચારીઓ પણ વ્હિસલબ્લોઅર બનીને સત્યનો પર્દાફાશ કર્યો છે. પરંતુ, અત્યાર સુધી, અમેરિકન એજન્સીઓના પ્રયાસો કોઈને કોઈ રીતે બોઇંગને ક્લીનચીટ મેળવવાના રહ્યા છે, જેથી અમેરિકન કંપનીની છબી ખરડાય નહીં.

પરંતુ, હવે, વિમાન દુર્ઘટના મામલે અમેરિકાના ડેલાવેરની કોર્ટમાં મૃતકોના પરિવારે બોઈંગ કંપની સામે કેસ દાખલ કર્યો છે. વિમાનના પાટર્સ બનાવતી કંપની હનીવેલ સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. વિમાનની ઈંધણ સ્વીચમાં જ ખામી હોવાનો મૃતકના પરિવારનો દાવો છે. મૃતકોના પરિવારોએ એર ઇન્ડિયા ફ્લાઇટ 171ના દુર્ઘટના માટે બેદરકારી અને ખામીયુક્ત ઇંધણ સ્વીચને જવાબદાર ગણાવીને બોઇંગ અને હનીવેલ સામે કેસ દાખલ કર્યો છે. આ દુર્ઘટનામાં 260 લોકો મોત થયા હતા.

અમેરિકાના ડેલવેર સુપિરિયર કોર્ટમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ફ્યુઅલ સ્વીચ અજાણતામાં અથવા અજાણ્યા કારણોસર બંધ થઈ ગયું હશે, જેના કારણે એન્જિનને ઇંધણ પુરવઠો બંધ થઈ ગયો હતો અને એન્જિનને ટેકઓફ માટે જરૂરી પાવર મળી શક્યો ન હતો. હનીવેલ બોઇંગ માટે આ સ્વીચનું ઉત્પાદન કરે છે. મુકદ્દમામાં કહેવામાં આવ્યું છે કે તે બંને તેની સાથે સંકળાયેલા જોખમોથી વાકેફ હતા, ખાસ કરીને યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ અગાઉ ઘણા બોઇંગ વિમાનોમાં લોકીંગ મિકેનિઝમ વિશે ચેતવણી આપી હતી, પરંતુ તેમ છતાં તેનું ધ્યાન રાખવામાં આવ્યું ન હતું.

ફરિયાદમાં જણાવાયું છે કે થ્રસ્ટ લીવરની પાછળ ફ્યુઅલ સ્વીચ મૂકીને, “બોઇંગે ખાતરી આપી હતી કે સામાન્ય કોકપીટ પ્રવૃત્તિઓ પણ અજાણતા કટઓફમાં પરિણમી શકે છે.” “આ અનિવાર્ય દુર્ઘટનાને રોકવા માટે હનીવેલ અને બોઇંગે શું કર્યું? કંઈ નહીં.” અહેવાલ મુજબ, બોઇંગે બુધવારે આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. હનીવેલ પણ તાત્કાલિક ટિપ્પણી કરવા તૈયાર નહોતો. અકસ્માત અંગે યુ.એસ.માં દાખલ કરાયેલ આ પહેલો મુકદ્દમો છે.

પીડિત પરિવાર દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર ૨૨૯ મુસાફરોમાંથી કાંતાબેન ધીરુભાઈ પાઘડલ, નવ્યા ચિરાગ પાઘડલ, કુબેરભાઈ પટેલ અને બાબીબેન પટેલ માટે વળતરની માંગ કરી રહ્યો છે. આ અકસ્માતમાં વિમાનના ૧૨ ક્રૂ સભ્યો અને મેડિકલ કોલેજ કેમ્પસમાં અન્ય ૧૯ લોકોના પણ મોત થયા હતા. રિપોર્ટમાં જણાવાયું છે કે અરજદારો ભારત અથવા યુકેના નાગરિક છે અને આ બે દેશોમાંથી કોઈ એકમાં રહે છે. અકસ્માતની તપાસમાં હજુ સુધી કોઈ ચોક્કસ કારણ નક્કી થયું નથી.

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં યુએસ અને યુકે એજન્સીઓ પણ સહયોગ કરી રહી છે. જુલાઈમાં તેના વચગાળાના અહેવાલમાં ક્રેશ પહેલા કોકપીટમાં ફ્યુઅલ સ્વિચ અંગે પાઇલટ્સમાં મૂંઝવણ તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેના થોડા સમય પછી, યુએસ FAA એડમિનિસ્ટ્રેટર બ્રાયન બેડફોર્ડે દાવો કર્યો હતો કે ફ્યુઅલ કંટ્રોલ કમ્પોનન્ટમાં ટેકનિકલ ખામીને દોષી ઠેરવી શકાય નહીં.

Related posts

શુ આપ દુનિયાની સૌથી વિશાળકાય હોટેલ વિશે જાણો છો,આ છે ૧૦,૦૦૦ રૂમ ધરાવતી એકમાત્ર હોટેલ

Ahmedabad Samay

T20 માથી ભારત થયુ બહાર,વર્લ્ડ કપ નું સ્વપ્નું રહ્યું અધુરુ

Ahmedabad Samay

ઝુબીન નટિયાલનો ‘બેવફા તેરા માસૂમ ચેહરા ‘ નામનો રોમેન્ટિક ગીત રિલીઝ

Ahmedabad Samay

ચૂંટણીની જાહેર થયા બાદ પહેલીવાર પીએમ મોદી બંગાળમાં રેલી કરી મિથુન ચક્રવર્તી  મંચ પર જ ભાજપમાં જોડાઈ જતા રાજનીતિક ગરમાવો વધ્યો

Ahmedabad Samay

પાકિસ્તાને બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન ને ‘આતંકી’ જાહેર કર્યું

Ahmedabad Samay

સિડનીમાં બોન્‍ડી બીચ પર યહૂદી તહેવાર હનુક્કાહ દરમિયાન થયો આતંકવાદી હુમલો, અત્યાર સુધીનો ઘાતક હુમલો માનવામાં આવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો