August 8, 2026
તાજા સમાચારદેશ

અકસ્માતમાં ઘાયલ લોકોને સમયસર હોસ્પિટલમાં લઈ જનારાઓને પ્રોત્સાહન રકમ 5,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરાઇ

દેશમાં સારા હાઈવે અને એક્સપ્રેસ વેના વધતા જતા નેટવર્કને લઈને સરકાર પણ ચિંતિત છે કે માર્ગ અકસ્માતનો દર પણ વધી રહ્યો છે. દર વર્ષે માર્ગ અકસ્માતમાં વધતા જતા મૃત્યુને જોતા સરકાર હવે માર્ગ સલામતી, જાગૃતિ અને કડકતા માટે નવા પગલાં અજમાવવા જઈ રહી છે.

આ પ્રયાસમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકોને સમયસર હોસ્પિટલમાં લઈ જનારાઓ માટે પ્રોત્સાહન રકમ 5,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવા જઈ રહ્યું છે

નાગપુરમાં રોડ સેફ્ટી પર આયોજિત એક કાર્યક્રમમાં અભિનેતા અનુપમ ખેર સાથે વાત કરતી વખતે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે હાલમાં દુઃખદ સરેરાશ આંકડો એ છે કે દરરોજ 474 લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવી રહ્યા છે માર્ગ અકસ્માતોમાં મૃત્યુ કોવિડ, કોઈપણ રમખાણો અથવા યુદ્ધના કારણે થતા મૃત્યુ કરતાં વધુ છે.

તેમણે કહ્યું કે વર્ષ 2024માં માર્ગ અકસ્માતમાં 1 લાખ 80 હજાર લોકોએ જીવ ગુમાવ્યા હશે, જેમાંથી 66 ટકા લોકો 18 થી 34 વર્ષની વયના હતા. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે પચાસ હજાર લોકો એવા છે જેમને જો સમયસર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હોત તો જીવ ન ગુમાવ્યો હોત.

સરકાર માર્ગ અકસ્માતમાં ઘાયલોને હોસ્પિટલમાં લઈ જનારાઓને 5,000 રૂપિયાની પ્રોત્સાહક રકમ આપી રહી છે, પરંતુ તાજેતરમાં મળેલી બેઠકમાં તેઓએ અધિકારીઓને આ રકમ વધારીને 25,000 રૂપિયા કરવા કહ્યું છે.

નીતિન ગડકરીએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આ વર્ષે રસ્તાની બાજુની શાળાઓની ખોટી એન્ટ્રી-એક્ઝિટ સિસ્ટમના કારણે અકસ્માતોમાં દસ હજાર બાળકોએ જીવ ગુમાવ્યા છે. આ ખૂબ જ ચિંતાજનક છે.

આવી શાળાઓ સામે યોગ્ય રોડ ડિઝાઇન અને ફૂટ ઓવર બ્રિજ હોવા જોઈએ. આ માટે રાજ્ય સરકારોને તેમના બજેટમાં આ સિસ્ટમ માટે 1000-2000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ માટે સાંસદ કે ધારાસભ્ય ફંડ પણ ખર્ચવા જોઈએ.

Related posts

નવા વર્ષમાં બની મોટી દુર્ઘટના, વૈષ્ણવદેવીમાં ભાગ દોડ થતા ૧૨ લોકોના મોત

Ahmedabad Samay

કેન્‍દ્રશાસિત પ્રદેશ જમ્‍મુ અને કાશ્‍મીરને આંતકવાદીઓ ફરીથી નિશાન બનાવવાની તૈયારી ચાલી રહી છે

Ahmedabad Samay

ઓટીટી પર લાંબા સમયથી રાહ જોઈ રહેલ વેબ સીરીયલો હવે ટૂંક સમયમાં રીલીઝ થશે

Ahmedabad Samay

સરકારની જનતાને દિવાળી ભેટ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કર્યો ઘટાડો

Ahmedabad Samay

છૂટક ફુગાવો ૮ વર્ષની ટોચે પહોંચ્‍યા બાદ એપ્રિલ ૨૦૨૨માં જથ્‍થાબંધ ફુગાવાએ પણ નવો રેકોર્ડ બનાવ્‍યો હતો.

Ahmedabad Samay

સત્રમાં સરકાર એક મોટો ટેક્‍સ ફેરફાર રજૂ કરવા જઈ રહી છે, જે ડાયરેક્‍ટ સિગારેટ, પાન મસાલા અને ગુટખા જેવી પ્રોડક્‍ટ્‍સ સાથે જોડાયેલો હશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો