December 5, 2025
તાજા સમાચારદેશ

અકસ્માતમાં ઘાયલ લોકોને સમયસર હોસ્પિટલમાં લઈ જનારાઓને પ્રોત્સાહન રકમ 5,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરાઇ

દેશમાં સારા હાઈવે અને એક્સપ્રેસ વેના વધતા જતા નેટવર્કને લઈને સરકાર પણ ચિંતિત છે કે માર્ગ અકસ્માતનો દર પણ વધી રહ્યો છે. દર વર્ષે માર્ગ અકસ્માતમાં વધતા જતા મૃત્યુને જોતા સરકાર હવે માર્ગ સલામતી, જાગૃતિ અને કડકતા માટે નવા પગલાં અજમાવવા જઈ રહી છે.

આ પ્રયાસમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકોને સમયસર હોસ્પિટલમાં લઈ જનારાઓ માટે પ્રોત્સાહન રકમ 5,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવા જઈ રહ્યું છે

નાગપુરમાં રોડ સેફ્ટી પર આયોજિત એક કાર્યક્રમમાં અભિનેતા અનુપમ ખેર સાથે વાત કરતી વખતે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે હાલમાં દુઃખદ સરેરાશ આંકડો એ છે કે દરરોજ 474 લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવી રહ્યા છે માર્ગ અકસ્માતોમાં મૃત્યુ કોવિડ, કોઈપણ રમખાણો અથવા યુદ્ધના કારણે થતા મૃત્યુ કરતાં વધુ છે.

તેમણે કહ્યું કે વર્ષ 2024માં માર્ગ અકસ્માતમાં 1 લાખ 80 હજાર લોકોએ જીવ ગુમાવ્યા હશે, જેમાંથી 66 ટકા લોકો 18 થી 34 વર્ષની વયના હતા. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે પચાસ હજાર લોકો એવા છે જેમને જો સમયસર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હોત તો જીવ ન ગુમાવ્યો હોત.

સરકાર માર્ગ અકસ્માતમાં ઘાયલોને હોસ્પિટલમાં લઈ જનારાઓને 5,000 રૂપિયાની પ્રોત્સાહક રકમ આપી રહી છે, પરંતુ તાજેતરમાં મળેલી બેઠકમાં તેઓએ અધિકારીઓને આ રકમ વધારીને 25,000 રૂપિયા કરવા કહ્યું છે.

નીતિન ગડકરીએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આ વર્ષે રસ્તાની બાજુની શાળાઓની ખોટી એન્ટ્રી-એક્ઝિટ સિસ્ટમના કારણે અકસ્માતોમાં દસ હજાર બાળકોએ જીવ ગુમાવ્યા છે. આ ખૂબ જ ચિંતાજનક છે.

આવી શાળાઓ સામે યોગ્ય રોડ ડિઝાઇન અને ફૂટ ઓવર બ્રિજ હોવા જોઈએ. આ માટે રાજ્ય સરકારોને તેમના બજેટમાં આ સિસ્ટમ માટે 1000-2000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ માટે સાંસદ કે ધારાસભ્ય ફંડ પણ ખર્ચવા જોઈએ.

Related posts

ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અરુણ ‘ડેડી’ ગવળી 17 વર્ષના લાંબા જેલવાસ પછી આજે નાગપુર સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયા

Ahmedabad Samay

આખરે ભારતે પાકિસ્તાન પર વળતો પ્રહાર કર્યો છે. ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનની અંદર ૯ સ્થળો પર મોટો હુમલો

Ahmedabad Samay

વેકસીનના એક ડોઝની કિંમત નક્કી કરાઇ

Ahmedabad Samay

ચેમ્‍પિયન્‍સ ટ્રોફીના સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઓસ્‍ટ્રેલિયાને હરાવી ફાઇનલમાં પોહચ્યું

Ahmedabad Samay

ઇન્દોરમાં હિન્દુ સંગઠનના લોકો પર પથ્થરમારોની ઘટના

Ahmedabad Samay

ભારતીય પુરાતત્‍વ અનુસાર મુગલ શાસક ઔરંગઝેબે સંકુલમાં મસ્‍જિદ માટે એક હિન્‍દુ મંદિર તોડી પાડ્‍યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો