July 7, 2026
Other

એકલી મહીલાઓને ધાર્મિક વાતોમાં ભેરવી મહીલાઓએ પહેરેલ સોનાના ઘરેણાં કઢાવી લઈ ઠગાઈ કરનાર બે ઈસમોને ગણતરીના કલાકોમાં પકડી પાડી ઓઢવ પોલીસે પ્રશંસનીય કાર્ય કર્યું

ઓઢવ વિસ્તારમા પોલીસ ટિમ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અ.હેડ.કોન્સ વિવેકકુમાર ભીખુભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે ઓઢવ અંબીકાનગર નવરંગ સર્કલ ખાતે જાહેરમાં પંચો સાથે વોચ તપાસ કરતા આરોપીઓ (૧) ધારુનાથ સોરમનાથ બામણીયા (મદારી) ઉ.વ.ર૬ રહે.મદારીવાસ ગામ.ગણેશપુરા તા.દહેગામ જી.ગાંધીનગર (૨) રમતુનાથ ઉર્ફે કાળુ શાયરનાથ જાતે પરમાર (મદારી) ઉ.વ.૨૦ રહે.મદારીવાસ ગામ.ગણેશપુરા તા.દહેગામ જી.ગાંધીનગર નાઓને પોતાના કબ્જામાં એક એક્ટીવા નંબર જી.જે.૧૮.એફ.એફ.૬૫૬૧ કિ.રૂ.૯૦,૦૦૦/- તથા સોનાની બુટ્ટી નંગ::૦૨ કિ.રૂ.૨૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી સદરી આરોપીઓની પુછપરછ દરમયાન જણાવેલ કે બન્ને જણા તા.૨૭/૦૯/૨૦૨૫ ના સવારના નવેક વાગે ઉપરોક્ત એક્ટીવા લઈને ઓઢવ ચામુંડાપાર્ક આગળથી પસાર થયેલ અને એક મહીલા ગાયને રોટલી ખવડાવતી હોય જેને કાનમાં સોનાની બુટ્ટી પહેરેલ હોય બન્ને જણા તેઓની પાસે જઈ મંદીરનુ સરનામુ પુછી પોતે મંદીરમાં સેવા પુજાનુ કામ કરે છે વિગેરે વાતો કરી મહીલાને ધાર્મિક વાતોમાં ભેરવી વિશ્વાસમાં લઈ કાનમાં પહેરેલ બુટ્ટીઓ મંત્ર બોલીને શુધ્ધ કરવાનુ કહી થેલીમાં બુટ્ટીઓ કઢાવી વાતોમાં વ્યસ્ત રાખી નજર ચુકવી થેલીમાંથી બુટ્ટીઓ કાઢી લીધેલ હોવાનુ જણાવતા સદર બનાવ સબંધે ઓઢવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.એ/૧૧૧૯૧૦૩૭૨૫૧૬૧૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૧૮(૪),૫૪ મુજબનો ગુનો દાખલ થયેલ હોય સદર ગુનાના કામે ઉપરોક્ત મુદ્દામાલ કબજે કરી બન્ને આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ,

તપાસ દરમયાન આરોપીઓએ તા.૨૭/૦૯/૨૦૨૫ ના સવારના આઠેક વાગ્યાના સુમારે નિકોલ દાસ્તાન સર્કલથી કઠવાડા ગામ તરફ જતા રોડ ઉપર આવેલ અમુલ પાર્લર આગળ રોડ ઉપર જતી એક મહીલા સાથે ઉપરોક્ત એમ.ઓ મુજબ ઠગાઈ કરી તેણે પહેરેલ સોનાની બુટ્ટી કઢાવી લીધેલ હોવાનુ જણાવતા સોનાની બુટ્ટી નંગ:૦૧ કિ.રૂ.૧૫,૦૦૦/-નો મુદામાલ ભારતીય નાગરીક સુરક્ષા સંહીતા ૨૦૨૩ની કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

Related posts

નરોડા વિસ્તારમાં પતિના જાણ બહાર પત્‍નીની બીજા લગ્ન કરાવતા જમાઇએ સાસુની હત્યા કરી

Ahmedabad Samay

ચૂંટણી પંચે પરશોત્તમ રૂપાલાને ક્‍લિન ચીટ આપી

Ahmedabad Samay

શહેરના તમામ બાગ-બગીચાઓ આગામી આદેશ સુધી બંધ રાખવા નિર્ણય

Ahmedabad Samay

દત્તાત્રેય હોસબલેએ ગુજરાતના સમાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી

Ahmedabad Samay

ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, આદરણીય શ્રી લાલ સિંહ આર્યજી આજરોજ અમદાવાદની મુલાકાત લેશે

Ahmedabad Samay

જૂનાગઢ લોકસભાની બેઠક પર રાજેશભાઈ ચુડાસમા અને વિજાપુરથી ડૉ સી જે ચાવડાને ટિકિટ અપાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો