જૂનાગઢ લોકસભાની બેઠક પર રાજેશભાઈ ચુડાસમા સતત બે ટર્મથી જૂનાગઢ લોકસભા બેઠક પરથી ચૂંટાઈ આવે છે. ચુડાસમાએ જણાવેલ કે, સાંસદ તરીકેના તેમના કાર્યકાળના એક દસકાના રાજકીય કાર્યકાળ દરમિયાન જૂનાગઢ લોકસભા બેઠક પર વિકાસની સાથે રોજગારી અને ખેડૂતલક્ષી અનેક કામો થયા છે. જે કામો બાકી છે તે પણ આવનારા સમયમાં રાજય અને કેન્દ્રની સરકાર પૂરા કરવા જઈ રહી છે તેવા ભરોસો રાજેશભાઈ ચુડાસમાએ વ્યકત કર્યો છે. આ લોકસભાની બેઠક ફરી એક વખત ભાજપ પાંચ લાખ કરતાં વધુ મતોના અંતરથી જીતશે તેવો વિશ્વાસ પણ ચુડાસમાએ વ્યકત કર્યો છે.
જ્યારે વિજાપુર વિધાનસભા ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે માનનીય ડો શ્રી સી જે ચાવડા સાહેબ નું નામ ફાઈનલ થયું છે
