May 8, 2026
Other

દત્તાત્રેય હોસબલેએ ગુજરાતના સમાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી

અમદાવાદમાં પીરાણા ખાતે શુક્રવારથી માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની ત્રણ દિવસીય વાર્ષિક પ્રતિનિધિ બેઠક નો પ્રારંભ થયો છે. પીરાણા ગામમાં શરૂ થયેલી બેઠકમાં, સરસંઘચાલક મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે સહિત દેશભરમાંથી સંઘના લગભગ 1200 અધિકારીઓ અને પ્રચારકો હાજરી આપી રહ્યા છે. બેઠકના અંતમ દિવસે સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલે એ જણાવ્યું હતું કે ગુજરાતના સમાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. સંઘ પ્રેમી બંધુઓએ આ કાર્યને પોતાનું જ કાર્ય ગણીને સહકાર આપ્યો છે.

તેમણે સામાજિક પરિવર્તનના કામ, ગૌ સેવા, સ્વચ્છતા અભિયાન જેવા કામ કરવા માટે કાર્યકર્તા તૈયાર કરાશે. સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલે જણાવ્યું કે ત્રણ દિવસથી શિબિર ચાલી રહી છે. ગુજરાત સમાજના લોકો પ્રતિનું કૃતજ્ઞતા વ્યકત કરું છું કે તેમણે ખુબ સહકાર આપ્યો છે. અહીંના કાર્યકર્તાઓએ સંઘના કામને પોતાનું જ કામ ગણીને સહકાર આપ્યો છે.

તેમણે કહ્યું કે દર ત્રણ વર્ષે વિસ્તારને લઈ સમીક્ષા કરીએ છીએ. આ પ્રક્રિયાના ભાગરૂપે આ બેઠક મળી હતી. તેમણે કહ્યું કે વર્ષ 2025માં સંઘના 100 વર્ષ પૂર્ણ થી રહ્યાં છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યો છે. અમદાવાદના પીરાણા ખાતે આવેલા નિષ્કલંકી નારાયણ તીર્થધામ ખાતે સંઘની ત્રી-દિવસીય રાષ્ટ્રીય પ્રતિનિધિની બેઠક આ જ ઉપલક્ષમાં મળી હતી.

દેશભરમાં 55,000 સ્થાન ઉપર સંઘની પ્રવૃત્તિ ચાલી રહી છે. અવનાર બે વર્ષમાં આ સ્થાનોની સંખ્યા 1 લાખ સુધી પહોચાડવાનો લક્ષ છે. લોકો વચ્ચે જઈ શકાય તેવા જનજાગૃતિ કાર્યક્રમો અંગે અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. ભારત દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં નાના લઘુ ઉદ્યોગોને કેવી રીતે વેગવંતુ બનાવવા માટેના કાર્યક્રમો કરવામાં આવશે. સંઘના સ્વયંસેવકો આવનાર દિવસોમાં ગ્રામ્ય સ્તરે નાના નાના ઉદ્યોગોને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પણ કામ કરશે.

Related posts

સતત વધતી જતી મોંઘવારીને સરકાર નિયંત્રિત કરવામાં નિષ્‍ફળતાને કારણે મહિલાઓ માટે તેમનું ઘર ચલાવવાનું મુશ્‍કેલ બન્‍યું:જેનીબેન ઠુમર

Ahmedabad Samay

PM મોદીએ વખાણ કર્યા તો ગદગદ થયા તેમજેન ઈમના, બોલ્યા – ‘ગુરુજી ને બોલ દિયા, બસ હમ તો ધન્ય હો ગયે.’

Ahmedabad Samay

કોરોના મહામારી આવી ત્યારથી સખ્તાઇ પૂર્વક બધું બંધ કરવામાં આવી રહ્યું છે તો દેશી દારૂ કેમ નહિ ? ઓક્સિજન નું કામ પણ બુટલેગરો સોપો કદી અછત નહિ પડે

Ahmedabad Samay

રીક્ષા ચાલકોએ હવેથી તમામ વિગતો પોતાની રીક્ષા પાછળ લખવાની રહેશે.  રીક્ષા પાછળ હવે રિક્ષા ચાલકનું નામ, રીક્ષા માલિકનું નામ, રીક્ષાનો નંબર લખવો ફરજીયતા બનશે

Ahmedabad Samay

ચૂંટણી પંચે પરશોત્તમ રૂપાલાને ક્‍લિન ચીટ આપી

Ahmedabad Samay

સુરત જિલ્લા પલસાણા ચાર રસ્તા પાસેથી SOGએ 1.76 કરોડનો ગાંજો કબ્જે કર્યો,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો