૨૪મી માર્ચના રોજ જયારે લોકડાઉન લાગૂ થયું ત્યારે લાખોની સંખ્યામાં મજૂર જયાં હતા ત્યાં જ ફસાઇ ગયા હતા. ત્યારબાદ હવે અંદાજે ૪૦ દિવસ બાદ તેમણે પોતાના ઘરે જવાની મંજૂરી મળી છે, રાજય સરકારોના નિવેદન પર કેન્દ્ર સરકારે તેના માટે સ્પેશ્યલ ટ્રેનની મંજૂરી આપી દીધી છે. પરંતુ આ દરમ્યાન મજૂરોના ટ્રેન નું ભાડુ રાજય સરકાર ઉઠાવશે નહિ મજૂરો પાસેથી જ ભાડુ લેવાશે તેવું નિર્ણય લેવાયો હતો. રેલવે મંત્રાલયના આ નિર્ણયની ખૂબ નિંદા કરાઇ છે. માત્ર રાજકીય પક્ષો અને રાજય સરકારોએ જ તેનો વિરોધ કર્યો નથી ક્યોં પરંતુ સોશિયલ મીડિયા પર પણ આ ચર્ચા ને લઈ જોર પકડાયુ છે.
જે ને લઈ સોનિયા ગાંધીએ નિવેદનમાં કહ્યું કે જયારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને કોઇપણ વગરના ખર્ચ વગર પાછા લાવી શકીએ છીએ. ગુજરાતમાં એક કાર્યક્રમમાં સરકારી ખજાનામાંથી ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે જો રેલવે મંત્રાલય પ્રધાનમંત્રી રાહત ફંડમાં ૧૫૧ કરોડ રૂપિયા આપી શકે છે તો પછી મુશ્કેલના સમયમાં મજૂરોના ભાડાનો ખર્ચ કેમ ઉઠાવી શકતા નથી?
રેલવેના આ વલણ પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નિર્ણય લીધો છે કે પ્રદેશ કોંગ્રેસ કમિટીના દરેક એકમ શ્રમિક-કામદારના ઘરે જવાના રેલવે યાત્રાનો ખર્ચ ઉઠાવશે અને જરૂરી પગલાં ભરશે.
