May 25, 2026
અપરાધ

કૃષ્ણનગરમાં ખાણીપીણીના સ્ટોલ પર અસામાજિક તત્વોએ ધારદાર હથિયાર અને લાકડીઓ વડે આંતક મચાવી હુમલો કર્યો

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. અહીંના ખાણીપીણીના સ્ટોલ પર અસામાજિક તત્વોએ ધારદાર હથિયાર અને લાકડીઓ વડે આંતક મચાવી હુમલો કર્યો


હતો. અસામાજિક તત્વોના આ હુમલાનો વીડિયો સામે આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. બનાવની જાણ થતાં કૃષ્ણનગર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે અને હુમલાખોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ત્યારે વધુ એક ઘટનામાં અમદાવાદના કૃષ્ણનગર વિસ્તાર માં બેફામ બનેલા લુખ્ખા તત્વોએ જાહેર સ્થળે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા એક ખાણી-પીણીના સ્ટોલ પર અસામાજિક તત્વોના એક જૂથે એકાએક આતંક મચાવ્યો હતો. આ તત્વોએ ધારદાર હથિયારો અને લાકડીઓનો ઉપયોગ કરીને સ્ટોલ પર હુમલો કર્યો હતો અને તોડફોડ કરી હતી

હુમલાની આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરતા નજરે પડે છે. આ હુમલાથી વિસ્તારના લોકોમાં ભય અને ગભરાટ ફેલાયો છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં જ કૃષ્ણનગર પોલીસે તાત્કાલિક સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

પોલીસે વીડિયો ફૂટેજના આધારે હુમલો કરનાર અસામાજિક તત્વોની ઓળખ કરીને તેમની ધરપકડ કરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ખાતરી આપી છે કે આવા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે અને વિસ્તારમાં શાંતિ જાળવવામાં આવશે.

Related posts

અમદાવાદના કઠવાડા GIDC વિસ્તારમાં ચાલતા કાજુના એક મોટા કાળા કારોબારનો પર્દાફાશ થયો

Ahmedabad Samay

વડોદરા: પતિ, સાસુ-સસરા અને જેઠના ત્રાસથી 1 વર્ષના દીકરાની માતાએ ગળે ફાંસો ખાધો, દુષ્પ્રેરણા હેઠળ ચારેયની ધરપકડ

Ahmedabad Samay

નિકોલના હોન્ડા શોરૂમના 3 કર્મચારીઓ એ જ ગોડાઉનમાંથી 29 એક્ટિવા અને 2 બાઈક ચોરી કરી

Ahmedabad Samay

સોલા: વિવાન્તા ઇન્ટરનેશનલ સ્પા પર અમદાવાદ કરાઈમ બ્રાન્ચની Anti Human Trafficking Unit ટીમે દ્વારા દરોડો પાડી ગેરકાયદેસર દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો

Ahmedabad Samay

ઘરફોડ ચોરીના રિઢા આરોપીને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે શોધી કાઢી ગુનો ડિટેક્ટ કરતી નિકોલ સર્વેલન્સ ટીમ

Ahmedabad Samay

અમદાવાદ: નરોડામાં 17 વર્ષીય સગીરાએ આપઘાત કર્યો! પોલીસને જણાવ્યા વિના જ પરિવાર અંતિમ વિધિ માટે સ્મશાન પહોંચ્યો, ઊભા થયા અનેક સવાલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો