June 21, 2026
અપરાધ

કૃષ્ણનગરમાં ખાણીપીણીના સ્ટોલ પર અસામાજિક તત્વોએ ધારદાર હથિયાર અને લાકડીઓ વડે આંતક મચાવી હુમલો કર્યો

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. અહીંના ખાણીપીણીના સ્ટોલ પર અસામાજિક તત્વોએ ધારદાર હથિયાર અને લાકડીઓ વડે આંતક મચાવી હુમલો કર્યો


હતો. અસામાજિક તત્વોના આ હુમલાનો વીડિયો સામે આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. બનાવની જાણ થતાં કૃષ્ણનગર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે અને હુમલાખોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ત્યારે વધુ એક ઘટનામાં અમદાવાદના કૃષ્ણનગર વિસ્તાર માં બેફામ બનેલા લુખ્ખા તત્વોએ જાહેર સ્થળે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા એક ખાણી-પીણીના સ્ટોલ પર અસામાજિક તત્વોના એક જૂથે એકાએક આતંક મચાવ્યો હતો. આ તત્વોએ ધારદાર હથિયારો અને લાકડીઓનો ઉપયોગ કરીને સ્ટોલ પર હુમલો કર્યો હતો અને તોડફોડ કરી હતી

હુમલાની આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરતા નજરે પડે છે. આ હુમલાથી વિસ્તારના લોકોમાં ભય અને ગભરાટ ફેલાયો છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં જ કૃષ્ણનગર પોલીસે તાત્કાલિક સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

પોલીસે વીડિયો ફૂટેજના આધારે હુમલો કરનાર અસામાજિક તત્વોની ઓળખ કરીને તેમની ધરપકડ કરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ખાતરી આપી છે કે આવા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે અને વિસ્તારમાં શાંતિ જાળવવામાં આવશે.

Related posts

દેરોદર ગામની મોરા સીમ વિસ્તારમાં રેઇડ કરી જુગારધારા અંગે કાયદેસરની કાર્યવાહી કરી

Ahmedabad Samay

મોરબીના જીઆઈડીસીમાંથી દારૂની હેરાફેરી કરનાર ત્રણ ઈસમો ઝડપી પાડવામ આવ્યા હતા

Ahmedabad Samay

જુહાપુરામાં સોના ચાંદીના દાગીના સહિત કુલ ૯.૭૨ લાખ ની ચોરી કરી.

Ahmedabad Samay

અમદાવાદ: નિકોલમાં 25 વર્ષીય ડોક્ટરે હાથમાં એનેસ્થેસિયાના ઇન્જેક્શન લઈને આપઘાત કર્યો, 5 મહિના પહેલા જ થયા હતા લગ્ન

admin

અમદાવાદના મેઘાણીનગરમાં એક યુવાનની જાહેરમાં કરાઇ હત્યા

Ahmedabad Samay

ઘરફોડ ચોરીના રિઢા આરોપીને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે શોધી કાઢી ગુનો ડિટેક્ટ કરતી નિકોલ સર્વેલન્સ ટીમ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો