રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવી શકે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે જણાવ્યું કે 21 ડિસેમ્બર સુધી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે.
ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ઠંડીના માહોલના કારણે રાજ્યમાં પણ આકરી ઠંડીનું પાટણ જોવા મળશે. તેઓએ આગાહી કરી કે ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં હવામાનમાં વધુ પલટો આવી શકે છે અને તાપમાન આકરી ઠંડીનો સામનો કરશે.
