મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ટ્રેનના પાટા પર સુતેલા પ્રવાસી મજુરો ઉપરથી માલગાડી પસાર થતા ૧૫ જેટલા મજૂરોના મોત નિપજયા,
એક ખાનગી કમ્પનીમાં કામ કરતા મજુરો રેલ્વેના પાટા પર સુઈ ગયા હતા, સવારે વહેલા ૦૬ વાગ્યાનો સમય હોવાના કારણે તમામ લોકો ઊંઘમાં હતા અને કોઈને ગાડીનો ખ્યાલ ન આવ્યો અને ટ્રેન તમામ મજુરો પરથી પસાર થઈ ગઈ.
ઔરંગાબાદના જાલના રેલ્વે સ્ટેશન લાઈન પાસેના ફ્લાયઓવર પાસેના પાટા પર પ્રવાસી શ્રમિકો ઊંઘી રહ્યા હતા. લોકડાઉન ના કારણે ઘણા લોકો અનેક જગ્યાએ ફસાયા છે, પોતાના વતન જવા માટે અમુક લોકો રેલ્વે ટ્રેક નો રસ્તો અપનાવી પોતાના ઘર તરફ જઈ રહ્યા છે તેજ રીતે આ મજૂરો એ છત્તીસગઢ જવા માટે રેલ્વે ટ્રેક નો માર્ગ લઇ રવાના થયા હતા અને રાત્રે આરામ કરવા માટે રેલ્વે પાટા પાસે આરામ કરી રહ્યા હતા અને માલગાડી એ ૧૫ જેટલા મજૂરોને અડફેટમાં લીધા,
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ એ મૃત ના પરિવાર ને ૦૫-૦૫ લાખની સહાયતા જાહેર કરી.
