September 5, 2026
તાજા સમાચારદુનિયા

આયાતુલ્લા ખામેનેઈનું નિધન, અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલામાં થયું મૃત્યુ, મોજતબા ખામેનેઈ બન્યા નવા સુપ્રીમ લીડર

આયાતુલ્લા ખામેનેઈનું નિધન, અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા અત્યાર સુધીના સૌથી મોટા સંયુક્ત હવાઈ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા (સુપ્રીમ લીડર) આયાતુલ્લા અલી ખામેનેઈનું નિધન થયું છે. ઈરાનની સત્તાવાર મીડિયા ‘પ્રેસ ટીવી’ અને અન્ય એજન્સીઓએ આ સમાચારની પુષ્ટિ કરી છે. મધ્ય પૂર્વના રાજકારણમાં આ એક અત્યંત મોટો અને ઐતિહાસિક વળાંક છે.

 

મોજતબા ખામેનેઈ બન્યા નવા સુપ્રીમ લીડર: આયાતુલ્લા ખામેનેઈના મૃત્યુ બાદ તરત જ, તેમના દીકરા મોજતબા ખામેનેઈને ઈરાનના નવા સુપ્રીમ લીડર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મોજતબાએ સત્તા હાથમાં લેતા જ અમેરિકા અને ઈઝરાયલને ખુલ્લી ધમકી આપી છે અને સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ હુમલાનો જડબાતોડ જવાબ આપશે.

ઈરાનની વિનાશક હુમલાની ચેતવણી: પોતાના સર્વોચ્ચ નેતાની શહાદત બાદ ઈરાની સશસ્ત્ર દળો અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ઈતિહાસનો સૌથી વિનાશક હુમલો કરવાના સોગંધ લીધા છે. ઈરાને અમેરિકાના લશ્કરી થાણાઓ અને ઈઝરાયલને નિશાન બનાવીને વળતો પ્રહાર શરૂ કરી દીધો છે, જેનાથી ત્રીજા વિશ્વયુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

સુપ્રીમ લીડર ખામેનેઈ સાથે અન્ય કોણ-કોણ માર્યા ગયા?

આંતરરાષ્ટ્રીય મીડિયા અને ઈરાનની ‘ફાર્સ ન્યૂઝ એજન્સી’ ના રિપોર્ટ્સ અનુસાર, આ હુમલામાં ખામેનેઈના કમ્પાઉન્ડને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં માત્ર ખામેનેઈ જ નહીં, પરંતુ તેમના પરિવારજનો અને ટોચના લશ્કરી અધિકારીઓ પણ માર્યા ગયા છે:

પરિવારના સભ્યો: હુમલામાં ખામેનેઈની એક દીકરી, જમાઈ, પુત્રવધુ અને પૌત્રીનું પણ નિધન થયું હોવાની પુષ્ટિ થઈ છે.

જનરલ મોહમ્મદ પાકપોર: ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) ના કમાન્ડર.

અલી શમખાની: ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના વડા અને ખામેનેઈના ખૂબ જ નજીકના સલાહકાર.

અન્ય ટોચના અધિકારીઓ: અમેરિકન ન્યૂઝ એજન્સીઓના રિપોર્ટ મુજબ, આ હુમલામાં ઈરાનના સંરક્ષણ મંત્રી સહિત લગભગ ૪૦ જેટલા ઉચ્ચ ઈરાની સૈન્ય અને સરકારી અધિકારીઓ માર્યા ગયા છે.

ઈરાનમાં ચાલીસ દિવસનો શોક જાહેર થયો છે

Related posts

પાકિસ્તાન: નવાઝ શરીફની દીકરી મરિયમે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને આપી ખુલ્લેઆમ ધમકી!

Ahmedabad Samay

ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે ચિંતાનો વિષય બન્યો

Ahmedabad Samay

શ્રીમતી દ્રૌપદી મુર્મુ બન્યા ભારતના આગામી રાષ્ટ્રપતિ, ૨૫મી જુલાઇ એ લેશે શપથ

Ahmedabad Samay

આ વિટામિનની ઉણપથી થાય છે શરીરમાં બળતરા-ત્વચાના રોગો, તરત જ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરો

Ahmedabad Samay

મણિપુરમાં સેલ્ફીની બાબતે ફરી એકવાર હિંસા ફાટી નીકળી

Ahmedabad Samay

નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ટેસ્ટ મેચને લઈને ધમકી આપનાર આખરે મધ્યપ્રદેશથી ઝડપાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો