April 10, 2026
ગુજરાત

મુસાફરોની આ ભારે ભીડને (Crowd) ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું

હોળી   અને ધૂળેટીના પર્વ નિમિત્તે  વસતા શ્રમિકો  અને અન્ય લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ (Bus Stand) પર પેસેન્જરોનો  ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પંચમહાલ, ગોધરા, દાહોદ અને સૌરાષ્ટ્ર  સહિતના વિસ્તારોમાં જવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

તહેવારની ઉજવણી કરવા માટે શ્રમિકો  મોટી સંખ્યામાં અમદાવાદથી પોતાના વતન જઈ રહ્યા છે. બસ સ્ટેશન પર વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે. મુસાફરોની આ ભારે ભીડને (Crowd) ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ભીડને પહોંચી વળવા માટે એસટી નિગમ (ST Corporation) દ્વારા અમદાવાદથી ૩૦૦થી વધુ એક્સ્ટ્રા બસો (Extra Buses) મૂકવામાં આવી છે. આ ઉપરાંત, મુસાફરોની સુવિધા માટે 1 હજારથી વધુ ટ્રિપ (Trips) વધારવામાં આવી છે. તેમ છતાં, મુસાફરોનો ધસારો એટલો વધારે છે કે બસ સ્ટેશન પર ચારેતરફ ભીડ જોવા મળી રહી છે.

વધુ પડતા ઘસારાના  કારણે બસ સ્ટેશન પર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન  કરવામાં આવી રહ્યું હોવા છતાં, મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. તંત્ર દ્વારા મુસાફરોને શાંતિ જાળવવા અને વ્યવસ્થામાં સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

Related posts

શારદાબેન હોસ્પિટલમાં લેબ ટેક્નિશયન પર એસિડ એટેક

Ahmedabad Samay

ઝૂલતો પુલ દુર્ઘટના : જયસુખ પટેલના વચગાળાના જામીન મામલે બંને પક્ષે દલીલો રજુ કરી, તા. ૦૭ ના રોજ હુકમ કરાશે

Ahmedabad Samay

ગુડલાઇફ ફિટનેસ જિમ દ્વારા પાવરલીફટિંગ કોમ્પિટિશનું આયોજન કરાઇ

Ahmedabad Samay

આજથી કચ્‍છના ગાંધીધામમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાસ્ત્રીનો દિવ્‍ય દરબાર ભરાશે

Ahmedabad Samay

અમદાવાદીઓ દિવાળીમાં રાત્રે ૦૮ થી ૧૦ વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે.

Ahmedabad Samay

કરણી સેના અમદાવાદ શહેર મહામંત્રી નવીનસિંહ દેવડા ૧૦૦ કરતા વધારે યુવાનો સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો