અમદાવાદમાં શાહીબાગ અંડરબ્રિજ 19 થી 28 માર્ચ સુધી ફરી 10 દિવસ માટે બંધ રહેશે. આ સમયગાળામાં બપોરે અને રાત્રે વાહનોની અવરજવર પર રોક રહેશે, જ્યારે સવારે 12 થી સાંજના 5 વાગ્યા સુધી વાહનોની અવરજવર સંપૂર્ણ બંધ રહેશે.
આ નિર્ણય રેલવે ટ્રેકની રીપેરીંગ કામગીરીને કારણે લેવામાં આવ્યો છે. શહેરમાં વાહનચાલકો માટે શિલાલેખથી રિવરફ્રન્ટના રસ્તાનો ઉપયોગ, શાહીબાગથી મહાપ્રજ્ઞજી બ્રિજ તરફનો માર્ગ, અને આર્મી કોન્ટોમેન્ટનો રસ્તો વિકલ્પરૂપે ઉપલબ્ધ રહેશે.
