July 18, 2026
ગુજરાત

આ મહિનાના અંતમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં છુટાછવાયા સ્‍થળોએ ફરી માવઠાની શક્‍યતા

છેલ્લા કેટલાક દિવસથી ગરમીમાં રાહત મળ્‍યા બાદ હવે ધીમે-ધીમે ગરમીમાં ફરી વધારો થશે. જ્‍યારે આ મહિનાના અંતમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં છુટાછવાયા સ્‍થળોએ ફરી માવઠાની શક્‍યતા

તેઓએ જણાવેલ કે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છમાં ગરમીથી રાહત યથાવત છે. હાલ નોર્મલ મહત્તમ તાપમાન ૩૭ડીગ્રી થી ૩૮ડીગ્રી વચ્‍ચે ગણાય. જોકે, મોટાભાગના કેન્‍દ્રોમાં મહત્તમ તાપમાન નોર્મલ કરતાં ૧ડીગ્રી થી ૨ડીગ્રી ઓછું નોંધાઈ રહ્યું છે.

વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્‍યું છે કે બેક દિવસમાં મહત્તમ તાપમાન નોર્મલ તરફ વધીને ત્‍યારબાદ ૨૫થી ૨૭ માર્ચ દરમિયાન નોર્મલ કરતાં આશરે ૨ડીગ્રી વધુ થવાની શક્‍યતા છે.

તા. ૨૮ થી ૨૯ માર્ચ દરમિયાન મહત્તમ તાપમાનમાં ફરીથી ૧ડીગ્રી થી ૨ડીગ્રી ઘટાડો થવાની શક્‍યતા છે, સાથે બપોર/સાંજના ભેજમાં વધારો થશે. માર્ચના છેલ્‍લા દિવસોમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છમાં છૂટાછવાયા માવઠાની શક્‍યતા છે. ECMWF અને NOMAD GFSના વરસાદના નકશા દ્વારા પરિસ્‍થિતિ પર સતત નજર રાખવામાં આવશે.

ગઈકાલ ૨૨ માર્ચના નોંધપાત્ર મહત્તમ તાપમાનના આંકડા જોઈએ તો

રાજકોટઃ ૩૬.૫ (નોર્મલ કરતાં ૧.૦ડીગ્રી ઓછું), અમદાવાદ ૩૬.૦(નોર્મલ કરતાં ૧.૨ડીગ્રી ઓછું), વડોદરાઃ ૩૫.૮ (નોર્મલ કરતાં ૨.૦ડીગ્રી ઓછું), ડીસાઃ ૩૫.૩ (નોર્મલ કરતાં ૧.૦ડીગ્રી ઓછું), ગાંધીનગરઃ ૩૫.૪ (નોર્મલ કરતાં ૩.૦ડીગ્રી ઓછું), ભૂજઃ ૩૫.૭ (નોર્મલ કરતાં ૧.૦ડીગ્રી ઓછું) સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છ માટે આગાહી

તા.૨૩ થી ૩૦ માર્ચ ૨૦૨૬ સુધીની આગાહી કરતાં જાણીતા વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલ જણાવે છે કે હાલ દિવસ દરમિયાન તાપમાન નોર્મલ કરતાં ઓછું ચાલી રહ્યું છે.

૨૪ માર્ચ સુધીમાં મહત્તમ તાપમાન નોર્મલ નજીક પહોંચશે. ૨૫થી ૨૭ માર્ચ દરમિયાન મોટાભાગના વિસ્‍તારોમાં મહત્તમ તાપમાન ૩૭.૫ડીગ્રી થી ૩૯.૫ડીગ્રી સુધી પહોંચવાની શક્‍યતા છે.

૨૮થી ૨૯ માર્ચ દરમિયાન તાપમાનમાં ફરીથી ૧ડીગ્રી થી ૨ડીગ્રી ઘટાડો થવાની શક્‍યતા છે, સાથે ભેજમાં વધારો થશે.

જ્‍યારે પવનની સ્‍થિતિ જોઈએ તો કચ્‍છ અને દરિયાકાંઠાના સૌરાષ્ટ્ર વિસ્‍તારમાં પવનની ઝડપ આગામી દિવસોમાં ૧૦ થી૨૦ કિમી/કલાક રહેવાની શક્‍યતા છે. સમગ્ર વિસ્‍તારમાં ૨૭થી ૨૮ માર્ચ આસપાસ પવનની ઝડપ વધીને ૧૫૨૫ કિમી/કલાક થઈ શકે છે, અને ઝાટકાઓ (gusts) ૩૫ કિમી/કલાક સુધી પહોંચી શકે છે.

ગુજરાતની આસપાસના રાજ્‍યોમાં હવામાન પરિસ્‍થિતિ અવાર નવાર અસ્‍થિર રહેવાની શક્‍યતા છે. માર્ચના છેલ્‍લા દિવસોમાં (૨૯થી ૩૦ માર્ચ આસપાસ) સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છમાં છૂટાછવાયા માવઠાની શક્‍યતા છે. પરિસ્‍થિતિનું મૂલ્‍યાંકન ECMWF અને NOMAD GFS મોડલ્‍સ દ્વારા કરવામાં આવશે અને સમયાંતરે અપડેટ આપવામાં આવશે.

Related posts

જૂનાગઢ – ભારે વરસાદના પગલે 750 લોકોનું નીચાણવાળા વિસ્તારથી સ્થળાંતરણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

AIMIM પાર્ટીના ઓવૈસીનો અમદાવાદમાં ભવ્ય સ્વાગત

Ahmedabad Samay

કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ડ્રાઈવ, ગેરકાયદેસર પાર્કિંગ મામલે બિલ્ડીંગોને નોટિસો, રોડ પર દબાણો હટાવાયા

Ahmedabad Samay

કોરોનાના સારા સમાચાર ૩૫૦થી વધુ બેડ ખાલી, કોરોના થોડો ધીમો પડ્યો

Ahmedabad Samay

નારોલમાં ગેરકાયદેસર દબાણના કારણે સર્જાય છે અકસ્માત

Ahmedabad Samay

રાજ્યના ૧૯ પી.એસ.આઇ.ની બદલીના હુકમો કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો