March 28, 2026
દેશ

શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ-વન) પર જોઝિલા દર્રાના ઝીરો પોઇન્ટ અને મિનિમાર્ગ વચ્ચે ભીષણ હિમસ્ખલન થતાં ૬ લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા

જમ્મુ-કાશ્મીરના ગંદરબલ જિલ્લામાં શુક્રવારે શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ-વન) પર જોઝિલા દર્રાના ઝીરો પોઇન્ટ અને મિનિમાર્ગ વચ્ચે ભીષણ હિમસ્ખલન થતાં ૬ લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ૫ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અહેવાલો મુજબ, અચાનક બરફનો જંગી કાટમાળ ધસી પડતાં પ્રવાસી વાહનો બરફ નીચે દટાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ ગંદરબલના એસએસપી ખલીલ પોસવાલની આગેવાનીમાં જમ્મુ કાશ્મીર પોલીસ, એસડીઆરએફ, બીઆરઓ (બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન) અને ભારતીય સેનાની ટીમોએ ઘટનાસ્થળે દોડી જઈ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. કાટમાળ નીચેથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય મીડિયા અહેવાલોમાં ૭ લોકોનાં મોતની આશંકા પણ વ્યક્ત કરાઈ છે, જોકે સત્તાવાર આંકડો ૬ મૃત્યુ અને ૫ ઘાયલનો છે.

https://x.com/ANI/status/2037546293292384423?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2037546293292384423%7Ctwgr%5Ea545f44f225551cab66fbac46f0b3cb7ed8e3a57%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-26711926303874527251.ampproject.net%2F2603032146000%2Fframe.html
આ દુર્ઘટના બાદ લદ્દાખના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ એક્સ પર દુઃખ વ્યક્ત કરતા કારગિલના ડીસી અને એસએસપીને તાત્કાલિક સ્થળ પર પહોંચી રાહત કામગીરી વેગવંતી બનાવવા નિર્દેશ આપ્યો છે. જમ્મુ-કાશ્મીર મુખ્યમંત્રી કાર્યાલયે પણ શોક વ્યક્ત કર્યો છે અને પીડિત પરિવારોને સાંત્વના પાઠવી છે. બરફની સફેદ ચાદર વચ્ચે ફસાયેલા નાગરિકોને બચાવવાની કવાયત જારી છે.
હાલમાં ભારે મશીનરી વડે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી હોવાથી આ ૪૩૪ કિલોમીટર લાંબો વ્યૂહાત્મક હાઇવે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે અને વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે.

Related posts

તીરંદાજ દીપિકા કુમારીએ ટોક્યો ઓલમ્પિક મહિલા સિંગલ્સની કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

Ahmedabad Samay

નવા વર્ષમાં બની મોટી દુર્ઘટના, વૈષ્ણવદેવીમાં ભાગ દોડ થતા ૧૨ લોકોના મોત

Ahmedabad Samay

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન ચૂંટાઈ આવ્યા, સી.પી. રાધાકૃષ્ણન બન્યા નવા ઉપરાષ્ટ્રપતિ

Ahmedabad Samay

અલવિદા હાસ્ય સમ્રાટ રાજુ શ્રીવાસ્તવ, સૌને હસાવનાર સૌને રડાવી ગયા

Ahmedabad Samay

આ વખતે રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયાએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, EMI માં કોઈજ ફરક નહિ પડે

Ahmedabad Samay

લોકડાઉનનો નિર્ણય બધા રાજયોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા બાદ લેવાશે: અમિત શાહ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો