June 27, 2026
દેશ

શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ-વન) પર જોઝિલા દર્રાના ઝીરો પોઇન્ટ અને મિનિમાર્ગ વચ્ચે ભીષણ હિમસ્ખલન થતાં ૬ લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા

જમ્મુ-કાશ્મીરના ગંદરબલ જિલ્લામાં શુક્રવારે શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ-વન) પર જોઝિલા દર્રાના ઝીરો પોઇન્ટ અને મિનિમાર્ગ વચ્ચે ભીષણ હિમસ્ખલન થતાં ૬ લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ૫ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અહેવાલો મુજબ, અચાનક બરફનો જંગી કાટમાળ ધસી પડતાં પ્રવાસી વાહનો બરફ નીચે દટાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ ગંદરબલના એસએસપી ખલીલ પોસવાલની આગેવાનીમાં જમ્મુ કાશ્મીર પોલીસ, એસડીઆરએફ, બીઆરઓ (બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન) અને ભારતીય સેનાની ટીમોએ ઘટનાસ્થળે દોડી જઈ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. કાટમાળ નીચેથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય મીડિયા અહેવાલોમાં ૭ લોકોનાં મોતની આશંકા પણ વ્યક્ત કરાઈ છે, જોકે સત્તાવાર આંકડો ૬ મૃત્યુ અને ૫ ઘાયલનો છે.

https://x.com/ANI/status/2037546293292384423?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2037546293292384423%7Ctwgr%5Ea545f44f225551cab66fbac46f0b3cb7ed8e3a57%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-26711926303874527251.ampproject.net%2F2603032146000%2Fframe.html
આ દુર્ઘટના બાદ લદ્દાખના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ એક્સ પર દુઃખ વ્યક્ત કરતા કારગિલના ડીસી અને એસએસપીને તાત્કાલિક સ્થળ પર પહોંચી રાહત કામગીરી વેગવંતી બનાવવા નિર્દેશ આપ્યો છે. જમ્મુ-કાશ્મીર મુખ્યમંત્રી કાર્યાલયે પણ શોક વ્યક્ત કર્યો છે અને પીડિત પરિવારોને સાંત્વના પાઠવી છે. બરફની સફેદ ચાદર વચ્ચે ફસાયેલા નાગરિકોને બચાવવાની કવાયત જારી છે.
હાલમાં ભારે મશીનરી વડે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી હોવાથી આ ૪૩૪ કિલોમીટર લાંબો વ્યૂહાત્મક હાઇવે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે અને વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે.

Related posts

દિલ્હીના સૈદુલ્લાજાબ વિસ્તારમાં એક બહુમાળી ઇમારત અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી

Ahmedabad Samay

રાહુલ ગાંધી સોમવારે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ટ્રેકટર ચલાવીને સંસદ પહોંચ્યા

Ahmedabad Samay

તાંડવ વેબ સિરીઝ ઉપર યોગી સરકાર ભડકી,ગંભીર કલમો હેઠળ કેસ કરાશે

Ahmedabad Samay

BCCIએ સાઉથ આફ્રિકા સામેની ટી૨૦ સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની સ્‍કવોડની જાહેરાત,હાર્દિક પંડ્‍યા અને શુભમન ગિલની એન્ટ્રી

Ahmedabad Samay

બોર્ડર 2′ બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) માં રીલીઝ કરવામાં આવશે નહીં

Ahmedabad Samay

સરકારે પેટ્રોલ કરતાં આશરે ૨૦ રૂપિયા સસ્‍તા ભાવે ઉપલબ્‍ધ ઇંધણની વ્‍યવસ્‍થા કરી છે. આ હેતુ માટે, સરકારે દેશનું પ્રથમ E-85 ઇંધણ સ્‍ટેશન શરૂ કર્યું, જાણો E85 ઇંધણની વિગતવાર માહિતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો