નારી શકિત વંદન કાયદા સાથે, મોદી સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે જેણે પાર્ટીની દિવાલો તોડી નાખી છે.મહિલા નેતાઓ, ખાસ કરીને વિપક્ષી પક્ષોના, એ સરકારના પગલાને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. જયારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે આ કાયદાને ઐતિહાસિક ગણાવ્યો છે, ત્યારે BSP વડા માયાવતીએ પણ સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે.
નારી શકિત વંદન સુધારા બિલ માટે ખાસ સત્ર
ગુરુવારથી શરૂ થયેલા સંસદના ત્રણ દિવસીય ખાસ સત્રમાં નારી શકિત વંદન સુધારા બિલ અને સીમાંકન બિલ રજૂ કરવામાં આવી રહ્યા છે.
સીમાંકન અંગે પ્રશ્નો ઉઠાવતા, વિપક્ષે સંયુકત રીતે સરકારનો વિરોધ કરવાની રણનીતિ બનાવી છે. જોકે, એ નોંધનીય છે કે લોકસભા અને રાજય વિધાનસભા ઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત લાગુ કરવાનો ઉદ્દેશ્ય ધરાવતા આ સુધારા બિલે સરકારના સમર્થનમાં વિપક્ષની ઘણી મહિલા નેતાઓને એકત્ર કરી છે.
પ્રતિભા પાટીલ સરકારના નિર્ણયનું સ્વાગત કરે છે
કોંગ્રેસના નેતૃત્વ હેઠળના સંયુકત પ્રગતિશીલ ગઠબંધન સરકાર દરમિયાન દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનેલા પ્રતિભા પાટીલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સરકારના નિર્ણયનું સમર્થન અને સ્વાગત કર્યું છે.
