July 15, 2026
ગુજરાતરાજકારણ

ગુજરાતમાં નવા મંત્રીમંડળ બાદ હવે જુના અને દિગગજ નેતાઓનું શુ ?

વિજયભાઈ  રૂપાણીને રાતોરાત રાજીનામું અપાવી દેતાં તેમને દુઃખ જરૂર થયું છે.પરંતુ તેઓ હંમેશા સત્તામાં રહીને પણ સત્તાથી પર રહ્યા છે. વિજયભાઈ  રૂપાણી ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી જેવાં સર્વોચ્ચ પદે રહી ચૂક્યા છે. નરેન્દ્ર ભાઈ  મોદીએ સોશિયલ મીડિયા મારફતે પણ તેમની સેવા અને આવડતનો લાભ લેવાતો રહેશે તેવી જાહેરાત કરી દીધી છે. મુખ્યમંત્રી પદ જવાનો રંજ તેમને ચોક્કસ હશે, પરંતુ નારાજગી નથી. તેથી તેમણે મળવા આવેલાં તમામ મંત્રીઓને કહ્યું કે તેઓ આ કિસ્સામાં કોઇ દરમિયાનગીરી કરશે નહીં. હવે પાર્ટી તેમને જે કામ અથવા પદ સોંપે તે તેઓ સહર્ષ સ્વીકારી લેશે.

સતત ત્રીજીવાર મુખ્યમંત્રી પદના સૌથી સક્ષમ દાવેદાર તરીકે તેમનું નામ આવ્યું અને ત્રણેય વખત તેમને મન મનાવવું પડ્યું છે. નીતિનભાઈ  પટેલ કદાવર નેતા છે અને જ્યારે રૂપાણી સરકારમાં તેમને નાણાં મંત્રાલય મળ્યું ન હતું ત્યારે તેમણે આંચકીને એ મંત્રાલય મેળવ્યું હતું. ભાજપની નેતાગીરીએ તેમની સામે ઝૂકવું પડ્યું હતું.આજે નીતિનભાઈને ઝૂકવાનો વારો આવ્યો છે.

હવે તેમની રાજકીય કારકિર્દી સામે સૌથી મોટું જોખમ છે. આમ તો તેમને ભાજપનું મોવડીમંડળ કોઇ જવાબદારી સોંપે તેવી ચર્ચા હતી પરંતુ તેઓને હવે તે શક્યતા હાલ તો જણાતી નથી

પ્રદીપસિંહ જાડેજા અંગે વાત કરીએ તો.પ્રદીપસિંહ જાડેજા હજુ યુવાન અને ખૂબ રાજકીય સમજ ધરાવતા નેતા છે. હાલ તેમનું મંત્રીપદ જળવાય નહીં તો પણ તેઓ પક્ષને ચૂંટણી જિતાડવાના કામમાં હોંશથી કામ કરતાં રહેશે. . તેમના કામનો બદલો ભાજપનું મોવડીમંડળ આવતી ચૂંટણી પછી રચાનારી સરકારમાં સારી રીતે આપી શકે છે.

પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચૂડાસમાને પણ મંત્રીપદ નથી ફાળવાયું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખૂબ સિનિયર મંત્રી છે. તેમને વિધાનસભા અધ્યક્ષ બનાવાય તેવી વાત છે અને જો આ પદ મળે તો તેનો તેઓ પ્રતિકાર કરશે નહીં. ગઇ વિધાનસભા ચૂંટણીની તેમની જીત કોર્ટમાં પડકારાઇ છે અને હવે જો તેમને સ્પીકરનું પદ પણ ન મળે તો સલાહકારનું અથવા સંગઠનમાં હોદ્દા વિના કામ મળે તો તે સ્વીકારવું પડશે.

બીજી બાજુ જવાહર ચાવડા, રાદડિયા, બાવળિયા વગેરે પણ મોટો ચાહક વર્ગ ધરાવતા નેતાઓ છે. મંત્રી તરીકે તેમણે સારું કામ કર્યું હોય કે નહીં પણ તેમના ચાહકો તો છે જ. એ સંજોગોમાં પડતા મુકાયેલા નેતાઓ પૈકી કેટલાક પક્ષ પલટો કરશે કે પછી ચૂપચાપ ભાજપમાં જ બેસી રહી અપમાનનો ઘૂંટડો ગળી જશે. પક્ષમાં જ રહી પક્ષને નુકસાન થાય એવી પ્રવૃત્તિઓ કરશે. નિવૃત્તિની દિશામાં કામગીરી કરશે.વગેરે પ્રશ્નો જનતાના મનમાં ઘૂમી રહ્યાં છે.

Related posts

જનરલ વીકે સિંહે પીઓકેને લઈને મોટો દાવો કર્યો છે. જનરલ વીકે સિંહે કહ્યું કે જરા રાહ જુઓ,POK પોતાની મેળે ભારત આવશે

Ahmedabad Samay

અમદાવાદમાં ટાયર કિલર બંપ લાગવાની શરુઆત – રોંગ સાઈડમાં ગયા તો વાહનનું ટાયર ફાટ્યું સમજો

Ahmedabad Samay

ખોખરાથી કરફ્યૂમાં ગાયો ઉઠાવી જનારા ૪ કસાઈઓને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી

Ahmedabad Samay

હવે તમારે પૈસા ઉપાડવા માટે પ્લાસ્ટિક કાર્ડ (ડેબિટ કાર્ડ) ને એટીએમ મશીનમાં નાખવાની જરૂર નહીં પડે

Ahmedabad Samay

અખિલ ભારતીય ક્ષત્રિય સેવા દલ દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠામાં વિવિધ પદ પર પદાધિકારીઓ નિયુક્ત કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો