June 24, 2026
દેશ

૦૮ વાગે વડાપ્રધાન નું રાષ્ટ્રને સંબોધન

લોકડાઉન ૩.૦  બાદ શું તેને લઈને સમગ્ર દેશવાસીઓને અનેક સવાલો છે તેવા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આજે રાત્રે ૮ વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. વડાપ્રધાન  કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પરથી આ વાતની જાણકારી આપવામાં આવી છે.દેશ કોરોના વાયરસના કારણે લાગુ લોકડાઉનની વચ્ચે આ પીએમ મોદીનું ચોથું રાષ્ટ્રના  નામે  સંબોધન હશે. માનવામાં આવી રહ્યું છે કે COVID-19 મહામારીની વચ્ચે આગળના નિર્ણયની જાણકારી વડાપ્રધાન મોદી આ સંબોધનમાં કરી શકે છે         વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમવારે રાજયોના મુખ્યમંત્રીઓ  સાથે લગભગ ૬ કલાકની મેરથોન બેઠક યોજાઈ હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સંકેત આપ્યા કે લોકડાઉનને સમગ્રપણે નહીં હટાવવામાં આવે પરંતુ પ્રતિબંધોમાં ધીમે-ધીમે છૂટ આપવામાં આવશે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેમનું  માનવું છે કે લોકડાઉનના પહેલા ત્રણ ચરણમાં જે ઉપાયોની જરૂરિયાત હતી, તો ચોથામાં જરૂરી નથી. ૨૫ માર્ચથી લાગુ ૫૪ દિવસનું લોકડાઉન ૧૭ મેના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. કોરોના વાયરસને ફેલાવાથી રોકવા માટે તેને લાગુ કરવામાં આવ્યું હતું.

Related posts

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આખરે 52 વર્ષના લાંબા ઇંતજારનો અંત લાવયો, પ્રથમવાર ODI વર્લ્ડ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચી દીધો

Ahmedabad Samay

નાના પાટેકરે પોતાના નિર્મલા ગજાનન ફાઉન્ડેશન અંતર્ગત આ મુલાકાત લીધી, ૧૧૭ પરિવારોને કુલ ૪૨ લાખની મદદ આપવામાં આવી

Ahmedabad Samay

૦૪ જેટલી નેશનલ બેંકના બદલાશે IFSC કોડ

Ahmedabad Samay

તેલંગાણામાં ૦૬ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપીને માટે મંત્રીએ કહ્યુ કે અમે આરોપીને જલ્દી શોધીશુ અને તેનું એન્કાઉન્ટર કરી દઇશું.

Ahmedabad Samay

રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલું ગાર્ડન  હવે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે

Ahmedabad Samay

હોર્મુઝ સ્ટ્રેટને અસર કરતી વૈશ્વિક ઉર્જા કટોકટીને કારણે, હવે ઇન્ટરનેટ આઉટેજનું જોખમ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો