May 10, 2026
દેશ

૦૮ વાગે વડાપ્રધાન નું રાષ્ટ્રને સંબોધન

લોકડાઉન ૩.૦  બાદ શું તેને લઈને સમગ્ર દેશવાસીઓને અનેક સવાલો છે તેવા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આજે રાત્રે ૮ વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. વડાપ્રધાન  કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પરથી આ વાતની જાણકારી આપવામાં આવી છે.દેશ કોરોના વાયરસના કારણે લાગુ લોકડાઉનની વચ્ચે આ પીએમ મોદીનું ચોથું રાષ્ટ્રના  નામે  સંબોધન હશે. માનવામાં આવી રહ્યું છે કે COVID-19 મહામારીની વચ્ચે આગળના નિર્ણયની જાણકારી વડાપ્રધાન મોદી આ સંબોધનમાં કરી શકે છે         વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમવારે રાજયોના મુખ્યમંત્રીઓ  સાથે લગભગ ૬ કલાકની મેરથોન બેઠક યોજાઈ હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સંકેત આપ્યા કે લોકડાઉનને સમગ્રપણે નહીં હટાવવામાં આવે પરંતુ પ્રતિબંધોમાં ધીમે-ધીમે છૂટ આપવામાં આવશે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેમનું  માનવું છે કે લોકડાઉનના પહેલા ત્રણ ચરણમાં જે ઉપાયોની જરૂરિયાત હતી, તો ચોથામાં જરૂરી નથી. ૨૫ માર્ચથી લાગુ ૫૪ દિવસનું લોકડાઉન ૧૭ મેના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. કોરોના વાયરસને ફેલાવાથી રોકવા માટે તેને લાગુ કરવામાં આવ્યું હતું.

Related posts

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ધર્મ પરિવર્તન ન કરવા પર નિધિ ગુપ્તાની હત્‍યા કરવામાં આવી.

Ahmedabad Samay

ઈતિહાસમાં પ્રથમ વખત ભારતે કોઈ મહિલા ICC ટૂર્નામેન્ટ જીતી

Ahmedabad Samay

બિહાર:ગોપાલગંજ જિલ્લામાં એક નિર્માણાધીન નાના પુલનો ભાગ તૂટી પડતા રાજ્ય સરકારની ખુલી પોલ

Ahmedabad Samay

કેન્‍દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફયુઅલ પર એક્‍સાઇઝ ડ્‍યુટી ઘટાડી, જોકે, આનાથી છૂટક ભાવમાં કોઈ ઘટાડો થશે નહી.

Ahmedabad Samay

દિલ્હીમાં લોકડાઉન વધુ લંબાવાની આજે જાહેરાત કરાઇ, તો લોકડાઉનમાં ગુરુદ્વારા કેવી રીતે ખુલ્લું મુકાયું ?

Ahmedabad Samay

મહારાજાની થઇ ઘર વાપસી, એર ઇન્ડિયા ફરી ટાટાના હવાલે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો