August 10, 2026
તાજા સમાચારદેશ

જે. પી. નડ્ડા અને રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્રસિંહની હાજરીમાં સોનમ વાંગચુકે ઉપવાસના પારણા કર્યા

લદ્દાખના જાણીતા પર્યાવરણવિદ્, શિક્ષણ સુધારક અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે આજે શુક્રવાર, ૨૪ જુલાઈએ પોતાની અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ સમાપ્ત કરી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી જે. પી. નડ્ડા અને વડાપ્રધાન કાર્યાલયના રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્રસિંહની હાજરીમાં તેમણે ઉપવાસના પારણા કર્યા

વાંગચુક છેલ્લા ૨૫ દિવસથી શિક્ષણ વ્યવસ્થામાં સુધારા, પરીક્ષાના પેપર લીક માટે જવાબદારી નક્કી કરવા અને આંદોલનમાં જોડાયેલા યુવા પ્રદર્શનકારો સામે દંડાત્મક કાર્યવાહી ન કરવાની માગ સાથે ઉપવાસ પર હતા. તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં અગાઉ બંને કેન્દ્રીય મંત્રીઓએ તેમની મુલાકાત લઈ ચર્ચા કરી હતી.

વાંગચુકે સરકાર તરફથી યુવા પ્રદર્શનકારો સામે બદલો લેવાની કે કડક કાનૂની કાર્યવાહી નહીં થાય તેવી સ્પષ્ટ ખાતરી મળે તો ઉપવાસ છોડવાની તૈયારી દર્શાવી હતી. જોકે સરકાર અને વાંગચુક વચ્ચે થયેલી ચર્ચાની સંપૂર્ણ શરતો તથા કોઈ લેખિત સમજૂતી અંગે સત્તાવાર વિગત હજુ જાહેર કરવામાં આવી નથી.

Related posts

ખતરનાક બન્યું બિપરજોય, ગુજરાતમાં દસ્તક દેશે, પાકિસ્તાનમાં પણ અસર કરશે, ચક્રવાત ક્યાં પહોંચ્યું?

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા પર જો બિડને શુભેચ્છા પાઠવી

Ahmedabad Samay

રાજસ્થાનમાં ગૃહિણીઓમાં ખુશીનો માહોલ, ગેહલોત સરકારે રાંધણ ગેસમાં આપી રાહત, ફક્ત ૫૦૦રૂ. મળશે ગેસ સિલેન્ડર

Ahmedabad Samay

TMC એ પશ્ચિમ બંગાળતો તો જીતિલીઘું પણ, દીદી પોતે હારી ગયા

Ahmedabad Samay

JL50 રિવ્યુ

Ahmedabad Samay

T20 માથી ભારત થયુ બહાર,વર્લ્ડ કપ નું સ્વપ્નું રહ્યું અધુરુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો