લદ્દાખના જાણીતા પર્યાવરણવિદ્, શિક્ષણ સુધારક અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે આજે શુક્રવાર, ૨૪ જુલાઈએ પોતાની અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ સમાપ્ત કરી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી જે. પી. નડ્ડા અને વડાપ્રધાન કાર્યાલયના રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્રસિંહની હાજરીમાં તેમણે ઉપવાસના પારણા કર્યા 
વાંગચુક છેલ્લા ૨૫ દિવસથી શિક્ષણ વ્યવસ્થામાં સુધારા, પરીક્ષાના પેપર લીક માટે જવાબદારી નક્કી કરવા અને આંદોલનમાં જોડાયેલા યુવા પ્રદર્શનકારો સામે દંડાત્મક કાર્યવાહી ન કરવાની માગ સાથે ઉપવાસ પર હતા. તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં અગાઉ બંને કેન્દ્રીય મંત્રીઓએ તેમની મુલાકાત લઈ ચર્ચા કરી હતી.
વાંગચુકે સરકાર તરફથી યુવા પ્રદર્શનકારો સામે બદલો લેવાની કે કડક કાનૂની કાર્યવાહી નહીં થાય તેવી સ્પષ્ટ ખાતરી મળે તો ઉપવાસ છોડવાની તૈયારી દર્શાવી હતી. જોકે સરકાર અને વાંગચુક વચ્ચે થયેલી ચર્ચાની સંપૂર્ણ શરતો તથા કોઈ લેખિત સમજૂતી અંગે સત્તાવાર વિગત હજુ જાહેર કરવામાં આવી નથી.
