July 25, 2026
તાજા સમાચારદેશ

જે. પી. નડ્ડા અને રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્રસિંહની હાજરીમાં સોનમ વાંગચુકે ઉપવાસના પારણા કર્યા

લદ્દાખના જાણીતા પર્યાવરણવિદ્, શિક્ષણ સુધારક અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે આજે શુક્રવાર, ૨૪ જુલાઈએ પોતાની અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ સમાપ્ત કરી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી જે. પી. નડ્ડા અને વડાપ્રધાન કાર્યાલયના રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્રસિંહની હાજરીમાં તેમણે ઉપવાસના પારણા કર્યા

વાંગચુક છેલ્લા ૨૫ દિવસથી શિક્ષણ વ્યવસ્થામાં સુધારા, પરીક્ષાના પેપર લીક માટે જવાબદારી નક્કી કરવા અને આંદોલનમાં જોડાયેલા યુવા પ્રદર્શનકારો સામે દંડાત્મક કાર્યવાહી ન કરવાની માગ સાથે ઉપવાસ પર હતા. તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં અગાઉ બંને કેન્દ્રીય મંત્રીઓએ તેમની મુલાકાત લઈ ચર્ચા કરી હતી.

વાંગચુકે સરકાર તરફથી યુવા પ્રદર્શનકારો સામે બદલો લેવાની કે કડક કાનૂની કાર્યવાહી નહીં થાય તેવી સ્પષ્ટ ખાતરી મળે તો ઉપવાસ છોડવાની તૈયારી દર્શાવી હતી. જોકે સરકાર અને વાંગચુક વચ્ચે થયેલી ચર્ચાની સંપૂર્ણ શરતો તથા કોઈ લેખિત સમજૂતી અંગે સત્તાવાર વિગત હજુ જાહેર કરવામાં આવી નથી.

Related posts

મણિપુરમાં સેલ્ફીની બાબતે ફરી એકવાર હિંસા ફાટી નીકળી

Ahmedabad Samay

ધ ગ્રેટ ખલી બન્યા જીમ લૉન્જ ના બ્રેન્ડેમ્બેસેટર

Ahmedabad Samay

સોનું ખરીદનારાઓની લાગી લોટરી: 3500 રૂપિયા સસ્તું થયું ગોલ્ડ, ચાંદીની ચમક પણ ફિક્કી પડી

Ahmedabad Samay

આ હોટ ડ્રિંકથી મીણની જેમ ઓગળી જશે શરીરની ચરબી, ફેટ ફ્રી બનશે બોડી

Ahmedabad Samay

ટીએમસીના ચૂંટણી રણનીતિકાર રહેલા પ્રશાંત કિશોરે ચૂંટણી મેનેજમેન્ટનું પ્રોફેશન છોડવાનો નિર્ણય

Ahmedabad Samay

ગૃહમંત્રાલયએ અનલોક.૦૫ ની ગાઈડલાઈ જાહેર કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો