May 10, 2026
દેશ

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંત કેસ પર સીબીઆઈની તપાસ પર પ્રશ્ન ઉઠાવયા

એક્ટર સુશાંત સિંહ રાજપૂતે પોતાના મુંબઈ સ્થિત એપાર્ટમેન્ટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. સુશાંતના મોતથી દેશભરના લોકોને મોટો ઝાટકો લાગ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતની મોતના મુદ્દે અનેક પ્રશ્ન ઉઠ્યા હતા અને તેમના પરિવાર દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે, કોઈએ તેમની હત્યા કરી હતી.

આ મામલાની તપાસ મુંબઈ પોલીસે કરી હતી અને તેમને મર્ડર જેવું કશું મળ્યું નથી. જોકે, સુશાંતને ન્યાય અપાવવાની મુહિમ સોશિયલ મીડિયા પર શરૂ થઈ હતી અને ફેન્સે માંગ કરી કે, મુંબઈ પોલીસની જગ્યાએ સીબીઆઈ પાસે સુશાંત કેસની તપાસ કરાવવામાં આવે જેથી સત્ય સામે આવે. હવે સીબીઆઈની તપાસને શરૂ થઇ તેના પાંચ મહિના થઈ ગયા, પરંતુ સુશાંત કેસમાં કોઈ અપડેટ સામે આવી નથી. એવામાં મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ પ્રશ્ન ઉભો કર્યો છે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંત કેસ પર સીબીઆઈની તપાસ પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, તપાસને શરૂ થયે પાંચ મહિના થઈ ગયા છે અને અત્યાર સુધી તે વાત સ્પષ્ટ થઈ નથી કે, સુશાંતની હત્યા થઈ હતી કે, તેમને આત્મહત્યા કરી હતી. તેમને કહ્યું કે, આ તપાસમાં સીબીઆઈને જે પણ જાણકારી મળી છે, તેનો ખુલસો ઝડપીમાં ઝડપી કરે.

Related posts

આરએસએસ દેશને હિન્દુ રાષ્ટ્ર પણ બનાવવા માગે છે :SGPC(શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમીટી)

Ahmedabad Samay

રેલ્વેમંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય, ૧૨મેં થી શરૂ થશે ટ્રેન સેવા

Ahmedabad Samay

નરેન્દ્રભાઈ મોદીનું પ્રજાને પાંચમી વાર સંબોધન

Ahmedabad Samay

કાલે સૂર્યગ્રહણ, ગ્રહણ ની અસર કેટલીક રાશિપર પડશે

Ahmedabad Samay

કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમતમાં મોટો ઘટાડો. રેસ્‍ટોરાં અને ઢાબામાં ખાવાનું સસ્‍તું થઈ શકે છે.

Ahmedabad Samay

દિલ્‍હી અને બોમ્બે હાઈકોર્ટને એક ઈમેલ દ્વારા બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો