March 23, 2026
દેશ

લગ્નના ૦૯ વર્ષ બાદ ૩૦ વર્ષીય પરિણિત મહિલાને ખબર પડી કે તે ‘પુરૂષ’ છે !

પશ્ચિમ બંગાળના વીરભૂમિ જિલ્લામાં એક વિચિત્ર કહી શકાય તેવી ઘટનામાં વયસ્ક મહિલા હવે આટલા વર્ષે અકસ્માતે ‘પુરૂષ’ નીકળી છે. ૩૦ વર્ષીફ વિવાહિત મહિલાના પેટના  નીચલા ભાગમાં દુઃખાવો ઉપડ્યો હતો. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તપાસ કરતાં સૌ કોઇ હેરાન થઇ ગયા હતા. ડોકટરોએ તપાસ બાદ કહ્યું કે આ મહિલા વાસ્તવમાં  ‘પુરૂષ’ છે. અને તેના શુક્રપિંડમાં કેન્સર છે.

મહિલા છેલ્લા ૯ વર્ષથી વિવાહિત છે. અને કેટલાક મહિલા પહેલા પેટમાં દુખાવાની ફરિયાદને લઇને શહેરની નેતાજી સુભાષચંદ્ર બોઝ હોસ્પિટલમાં ગઇ હતી. અહીં ડો.અનુપદ દત્તા અને ડો. સૌમન દાસે મહિલાની તપાસ કરી હતી. જેમાં એ હકીકત જાણવા મળી કે આ મહિલા હકીકતમાં ‘પુરૂષ’ છે. હોસ્પિટલના ડો.અનુપમ દત્તાએ કહ્યું કે, દેખાવમાં એ મહિલા છે. અવાજ, સ્તન, સામાન્ય જનનાંગ વગેરે કનિદૈ લાકિઅ બધુ જ મહિલાનું છે. જોકે, તેના શરીરમાં જન્મથી જ ગર્ભાશય અને અંડાશય નથી. એ કયારેય માસિક ધર્મમાં આવી નથી.

ડો.અનુપમ દત્તાઅ કહ્યું કે લગભગ ૨૨,૦૦૦  લોકો પૈકી એક વ્યકિતમાં આવી બીમારી જોવા મળે છે. આશ્ચર્યજનક રીતે એ સમયે મહિલાની ૨૮ વર્ષીય બહેનની તપાસમાં પણ આ જ હકીકત બહાર આવી છે. જેમાં  વ્યકિત જીનેટિકલી પુરૂષ હોય છે. પંરતુ તેના શરીરના તમામ બાહ્ય અંગે મહિલાના હોય છે.

ડોકટરે કહ્યુ કે દર્દીના અન્ય બે સંબંધીઓને પણ ભૂતકાળમાં  આ સમસ્યા રહી છે. આ દરમિયાન ડોકટરોએ જણાવ્યું કે , હાલ મહિલાની કિમોથેરાપી ચાલી રહી છે. અને તેની હાલત સ્થિર છે.

Related posts

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે રેકોર્ડ 28 સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા.

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે મુસાફરો માટે અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે

Ahmedabad Samay

આજે  બાબા નીબ કરૌરી મહારાજનો ૧૨૫મો જન્મોત્સવ

Ahmedabad Samay

“પરીક્ષા પે ચર્ચા”૧લી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે પરીક્ષા પર કરશે ચર્ચા

Ahmedabad Samay

‘ચંદ્રયાન-૩’નું આજે બપોરે ૨.૩૫ કલાકે શ્રી હરિકોટાથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

વર્ષનો પહેલો સૂર્યગ્રહણ દેખાશે ૧૦ જૂને

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો