May 7, 2026
ગુજરાત

વાઇબ્રન્ટ ઉત્સવથી કેટલા લોકોને રોજગારી મળી તે જાહેર કરો:ડો. મનીષ દોશી

પીરીયોડીક લેબર ફોર્સ સર્વેના આધારે રોજગારના મોટા દાવા કરીને રોજગારીમાં ગુલાબી ચિત્ર રજુ કરનાર ભાજપા સરકારમાં હિંમત હોય તો ગુજરાતમાં સરકારી અને ખાનગી રોજગારી, વાયબ્રન્ટ ઉત્સવોના અબજો રૂપિયાના મુડીરોકાણ સામે લાખો રોજગારીના દાવાની હકિકતો જાહેર કરે તેવી માંગ કરતા ગુજરાત કોંગ્રેસ સમિતિના મુખ્ય  પ્રવકતા ડો.  મનિષ દોશીએ જણાવ્યું હતું કે, પીરીયોડીક લેબર ફોર્સ સર્વે જુલાઈ-૨૦૧૮ થી જુલાઈ-૨૦૧૯ સમયા ગાળાના સમગ્રદેશમાં ૧,૦૧,૫૭૯ હાઉસહોલ્ડમાં  ૪,૨૦,૭૫૭ નાગરિકોનો સર્વેમાં સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં ગ્રામીણ  વિસ્તારના ૫૫,૮૧૨ હાઉસ હોલ્ડના ૨,૩૯,૮૧૭ નાગરિકો જયારે ૪૫,૭૬૭ કનિદૈ લાકિઅ હાઉસહોલ્ડના ૧,૮૦,૯૪૦ નાગરિકો સમાવેશ કરવામાં આવ્યો છે.

સમગ્ર દેશના ૧૩૫ કરોડ નાગરિકોમાંથી માત્ર ૪,૨૦,૭૫૭ નાગરિકોની સેમ્પલ સાઈજ  જે માત્ર શ્રમિકો માટેની અને છતાં સરકાર રોજગારીના મોટા દાવા કરે તે કેટલે અંશે વ્યાજબી ? સમગ્ર સર્વે શ્રમિકોને લદ્યુત્ત્મ રોજગારીનો સેમ્પલ સર્વે હોય ત્યાં રોજગારીમાં અવ્વલ નંબરના દાવા કેટલે અંશે વ્યાજબી ? પીરીયોડીક લેબર ફોર્સ સર્વેમાં સમગ્ર દેશમાં માત્ર ૧૨,૮૦૦ ગામનો સેમ્પલ  સાઈજ,

ગુજરાતમાંથી માત્ર ૪૪૦ સેમ્પલ નો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ૨૦૮ અને શહેરી વિસ્તાર ૨૩૨ સેમ્પલ ગણત્રીમાં લેવાયા છે. એટલે કે પીરીયોડીક લેબર ફોર્સ સર્વે (પીએલએફએસ) માં સમગ્રદેશમાં માત્ર ૧.૬ ટકા સેમ્પલ સાઈજ અને ગુજરાતની માત્ર ૨.૩ ટકા સેમ્પલ સાઈજ સમાવેશ થાય છે.

નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન (એએસએસઓ) ના સંપુર્ણ અહેવાલમાં સમગ્ર દેશમાં ૪૫ વર્ષમાં સૌથી ઉંચો બેરોજગારીનો દર મોદી શાસનમાં છે જે ભાજપ સરકાર – મોદી શાસનની દેશ અને ગુજરાતના નાગરિકોને ભેટ છે વાયબ્રન્ટ ઉત્સવોના નામે અબજો રૂપિયાનું મુડી રોકાણ અને લાખો રોજગારના દાવાનો પરપોટો ફુટી ગયો છે. તેમ ડો. મનીષ દોશી જણાવે છે. (૯.૬)

Related posts

વોટ્સએપમાં આવ્યું નવું ફીચર્સ

Ahmedabad Samay

સુરતઃ શહેરના જ્વેલર્સે અયોધ્યાની જેમ ચાંદીથી રામ મંદિરની આબેહૂબ અલગ-અલગ 4 પ્રતિકૃતિ બનાવી, જાણો કિંમત

Ahmedabad Samay

રાજપૂત અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મુસ્લિમ ગરાસિયા સમાજ ના આગેવાનો પણ જોડાયા

Ahmedabad Samay

મુખ્યમંત્રીએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની  ઓચિંતી મુલાકાત લીધી

Ahmedabad Samay

કોરોના કેસ વધવાની દહેશતે ફરી ૧૨૦૦ બેડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી.

Ahmedabad Samay

ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ લદાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો