હાલ સંપૂર્ણ ભારતમાં જો કોઈ આંદોલનને પ્રજાએ મોટી સંખ્યામાં સ્વીકાર્યું હોય તો તે છે સ્વચ્છતા અભિયાન, મોદી સરકાર અને સોશિયલ વર્ક કરતા લોકો અવારનવાર સ્વચ્છતા અભિયાન માટે મોટ મોટા બેનરો પોસ્ટરો લગાવતા હોય છે સ્વચ્છતા રાખવા માટે સૂચનો પણ આપતા હોય છે.
ઠેર ઠેર અને ચાલીઓમાં, સોસાયટીમાં ગંદકી ન થાય તે માટે સરકારે ડોર ટુ ડોર કચરો લેવા માટે ગાડીઓ પણ મુકવામાં આવી છે છતાંય અમુક લોકો એવા છે જેમને જાણે ગંદકીમાં રહેવાની આદત થઈ ગઈ હોય , આવીજ ગંદી આદતનો શિકાર મેંમકો વિસ્તારમાં આવેલ ફ્રુટ માર્કેટની સામે આવેલ મહેન્દ્ર કુમારની ચાલીનો હાલ છે. રોજ સવારે કચરો લેવા માટે ગાડી આવતી હોવા છતાં ચાલીના અમુક લોકો એટલા ટેવાયેલા છે કે તેવો કચરો બહાર ફેકતા હોય છે, એટલી હદે અહીં ગંદકી થાય છે કે શ્વાસ લેવા માટે મુશ્કેલી પડેછે.
