ઈતિહાસની ભૂલ પર મંગળવારે રાજયસભા સાંસદ વિનય સહસ્ત્રબુદ્ઘેની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. જેમાં ઈતિહાસની તમામ ભૂલો સુધારવાની માંગણી કરવામાં આવી.
જેમાં NCERT ૧૨માં ધોરણના ઈતિહાસના પુસ્તક ઈન્ડિયન હિસ્ટ્રી પાર્ટ-૨ના પેજ ૨૩૪ પર લખવામાં આવ્યું છે કે યુદ્ઘ દરમિયાન મંદિરોને તોડી પાડ્યા હતા અને બાદમાં શાહજહાં અને ઔરંગઝેબે આ મંદિરોની મરમ્મત માટે ગ્રાન્ટ જાહેર કરી હતી. આઝાદ ભારતના ઈતિહાસના આ જૂઠ્ઠાણાનો ખુલાસો એક RTIથી થયો હતો.
RTI માં પૂછવામાં આવ્યું કે થીમ ઓફ ઈન્ડિયન હિસ્ટ્રી પાર્ટ ૨ના પેજ નંબર ૨૩૪ના બીજા પેરેગ્રાફમાં NCERT એ કયા સોર્સથી એ લખ્યું છે કે જયારે યુદ્ઘ દરમિયાન મંદિર તોડવામાં આવ્યાં તો શાહજહાં અને ઔરંગઝેબના શાસનમાં પુર્નનિર્માણ માટે આર્થિક સહાયતા આપવામાં આવી? RTIમાં એ પણ પૂછવામાં આવ્યું કે NCERT જણાવે કે ઔરંગઝેબ અને શાહજહાંએ કેટલા મંદિર ફરીથી બનાવડાવ્યા? જવાબમાં NCERT એ કહ્યું કે તેમની પાસે તેની જાણકારી નથી.NCERT એ જે RTI દ્વારા જવાબમાં પોતાની ભૂલ માની છે
