March 23, 2026
ગુજરાત

કેવડિયાના રેલવે સ્‍ટેશનને નવુ નામ મળ્‍યું, રેલવે સ્‍ટેશનનું નવું નામ એકતાનગર કરવામાં આવ્‍યું

વિશ્વસ્‍તરે ખ્‍યાતિ મળ્‍યા બાદ કેવડિયા ની ઓળખ બદલાઈ છે. સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી બન્‍યા બાદ કેવડિયા વિશ્વ ફલક પર ચમક્‍યું છે. ત્‍યારે કેવડિયાના રેલવે સ્‍ટેશનને નવુ નામ મળ્‍યું છે. નર્મદા કેવડિયા રેલવે સ્‍ટેશનનું નવું નામ એકતાનગર કરવામાં આવ્‍યું છે. રેલવે સ્‍ટેશન પર એકતાનગર નું બોર્ડ લગાવવામાં આવ્‍યું.

નામ બદલવા માટે જિલ્લા કલેકટર કચેરીથી સંપૂર્ણ પ્રક્રિયા કરવામાં આવી હતી. કેવડિયા ગ્રામ પંચાયતમાં ઠરાવ બાદ નામ બદલવામાં આવ્‍યું છે. ત્‍યારે કેવડિયામાં રેલવે સ્‍ટેશન પર એકતા નગરના બોર્ડ લગાવી દેવામાં આવ્‍યા છે.  પ્રવાસીઓ અને મુલાકાતીઓની પહેલી પસંદ પૂછવામાં આવે તો હવે કેવડીયા નામ લેવાઈ રહ્યું છે. અહીં અનેક ફરવા, માણવા અને જોવા લાયક સ્‍થળો ઉભા કરાયા છે. જેને કારણે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી પર રેલવે સેવા ઉભી કરવામાં આવી છે,

જેથી મુસાફરો રેલવે દ્વારા કેવડિયા સુધી પહોંચી શકે. પ્રધાનમંત્રી મોદી નવી કેવડિયા-વડોદરા રેલવે લાઇન અને કેવડિયા રેલવે સ્‍ટેશનનું ઇ-લોકાર્પણ કરાયુ હતું.
કેવડિયા દેશનું પ્રથમ ઈકો ફ્રેન્‍ડલી રેલવે સ્‍ટેશન છે. જયાં દેશના પ્રથમ ઇકો ફ્રેન્‍ડલી રેલવે સ્‍ટેશનમાં વીજ લાઇન સાથે સોલાર સિસ્‍ટમ લગાડવામાં આવી છે, જેના થકી આખું રેલવે સ્‍ટેશન સોલાર પાવરથી ચાલશે. સોલાર પાવરથી ૨૦૦ કિલો વોટનું વીજ ઉત્‍પાદન કરી શકાય છે.

New up 01

 

Related posts

માતા ગાયને રાષ્ટ્ર માતાનું પદ આપવાની માંગ સાથે, ગૌ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવા રથયાત્રા યોજાઈ

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ભવ્ય સન્માન સમારોહ કરાયું

Ahmedabad Samay

ગાંધીનગરનું અક્ષરધામ, શાહીબાગ સ્થિત BAPS મંદિર અને શહેરના તમામ સંસ્કારધામોને 30 નવેમ્બર સુધી ભક્તો માટે બંધ

Ahmedabad Samay

માસ્ક પહેર્યા વગર નીકળતા નહિ. છેલ્લા પાંચ દિવસમાં માસ્‍ક પહેર્યા વગર ફરતા 13581 લોકો વિરૂદ્ધ કેસ દાખલ

Ahmedabad Samay

સરકાર તરફથી રેમડેસીવીર ન મળતા, કાળા બજારીયા સક્રિય, ઇસનપુર થી એક શખ્સ ઝડપાયો

Ahmedabad Samay

રાજયના પોલીસ વડા દ્વારા વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી તમામને ચાંપતો બંદોબસ્ત ફાળવવા સૂચના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો