February 5, 2026
ગુજરાત

કેવડિયાના રેલવે સ્‍ટેશનને નવુ નામ મળ્‍યું, રેલવે સ્‍ટેશનનું નવું નામ એકતાનગર કરવામાં આવ્‍યું

વિશ્વસ્‍તરે ખ્‍યાતિ મળ્‍યા બાદ કેવડિયા ની ઓળખ બદલાઈ છે. સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી બન્‍યા બાદ કેવડિયા વિશ્વ ફલક પર ચમક્‍યું છે. ત્‍યારે કેવડિયાના રેલવે સ્‍ટેશનને નવુ નામ મળ્‍યું છે. નર્મદા કેવડિયા રેલવે સ્‍ટેશનનું નવું નામ એકતાનગર કરવામાં આવ્‍યું છે. રેલવે સ્‍ટેશન પર એકતાનગર નું બોર્ડ લગાવવામાં આવ્‍યું.

નામ બદલવા માટે જિલ્લા કલેકટર કચેરીથી સંપૂર્ણ પ્રક્રિયા કરવામાં આવી હતી. કેવડિયા ગ્રામ પંચાયતમાં ઠરાવ બાદ નામ બદલવામાં આવ્‍યું છે. ત્‍યારે કેવડિયામાં રેલવે સ્‍ટેશન પર એકતા નગરના બોર્ડ લગાવી દેવામાં આવ્‍યા છે.  પ્રવાસીઓ અને મુલાકાતીઓની પહેલી પસંદ પૂછવામાં આવે તો હવે કેવડીયા નામ લેવાઈ રહ્યું છે. અહીં અનેક ફરવા, માણવા અને જોવા લાયક સ્‍થળો ઉભા કરાયા છે. જેને કારણે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી પર રેલવે સેવા ઉભી કરવામાં આવી છે,

જેથી મુસાફરો રેલવે દ્વારા કેવડિયા સુધી પહોંચી શકે. પ્રધાનમંત્રી મોદી નવી કેવડિયા-વડોદરા રેલવે લાઇન અને કેવડિયા રેલવે સ્‍ટેશનનું ઇ-લોકાર્પણ કરાયુ હતું.
કેવડિયા દેશનું પ્રથમ ઈકો ફ્રેન્‍ડલી રેલવે સ્‍ટેશન છે. જયાં દેશના પ્રથમ ઇકો ફ્રેન્‍ડલી રેલવે સ્‍ટેશનમાં વીજ લાઇન સાથે સોલાર સિસ્‍ટમ લગાડવામાં આવી છે, જેના થકી આખું રેલવે સ્‍ટેશન સોલાર પાવરથી ચાલશે. સોલાર પાવરથી ૨૦૦ કિલો વોટનું વીજ ઉત્‍પાદન કરી શકાય છે.

New up 01

 

Related posts

અખિલ ભારતીય હિંદી ભાષી ઉત્થાન સંઘ દ્વારા સન્માન સ્માહરો યોજવામાં આવ્યું

Ahmedabad Samay

આકાશમાંથી અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટર સેવા શરૂ થવા જઈ રહી છે.

Ahmedabad Samay

કોર્પોરેશનની સ્કૂલના વિદ્યાર્થીઓએ હેલિકોપ્ટરમાં બેસીને હેરીટેજ સિટી અમદાવાદનો નજારો માણ્યો

Ahmedabad Samay

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું 2.27 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું

Ahmedabad Samay

અમદાવાદ: આજથી રાજ્યભરમાં નવા જંત્રી દરનો અમલ શરૂ, અગાઉના વ્યવહારોને લીધે મોટાભાગના દસ્તાવેજો જૂના દરે જ નોંધાશે

admin

નવા નરોડા વિસ્તારમાં આવેલી ૮ જેટલી સોસાયટીના રહીશોએ સ્માર્ટ મીટરને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો