May 7, 2026
ગુજરાત

કેવડિયાના રેલવે સ્‍ટેશનને નવુ નામ મળ્‍યું, રેલવે સ્‍ટેશનનું નવું નામ એકતાનગર કરવામાં આવ્‍યું

વિશ્વસ્‍તરે ખ્‍યાતિ મળ્‍યા બાદ કેવડિયા ની ઓળખ બદલાઈ છે. સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી બન્‍યા બાદ કેવડિયા વિશ્વ ફલક પર ચમક્‍યું છે. ત્‍યારે કેવડિયાના રેલવે સ્‍ટેશનને નવુ નામ મળ્‍યું છે. નર્મદા કેવડિયા રેલવે સ્‍ટેશનનું નવું નામ એકતાનગર કરવામાં આવ્‍યું છે. રેલવે સ્‍ટેશન પર એકતાનગર નું બોર્ડ લગાવવામાં આવ્‍યું.

નામ બદલવા માટે જિલ્લા કલેકટર કચેરીથી સંપૂર્ણ પ્રક્રિયા કરવામાં આવી હતી. કેવડિયા ગ્રામ પંચાયતમાં ઠરાવ બાદ નામ બદલવામાં આવ્‍યું છે. ત્‍યારે કેવડિયામાં રેલવે સ્‍ટેશન પર એકતા નગરના બોર્ડ લગાવી દેવામાં આવ્‍યા છે.  પ્રવાસીઓ અને મુલાકાતીઓની પહેલી પસંદ પૂછવામાં આવે તો હવે કેવડીયા નામ લેવાઈ રહ્યું છે. અહીં અનેક ફરવા, માણવા અને જોવા લાયક સ્‍થળો ઉભા કરાયા છે. જેને કારણે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી પર રેલવે સેવા ઉભી કરવામાં આવી છે,

જેથી મુસાફરો રેલવે દ્વારા કેવડિયા સુધી પહોંચી શકે. પ્રધાનમંત્રી મોદી નવી કેવડિયા-વડોદરા રેલવે લાઇન અને કેવડિયા રેલવે સ્‍ટેશનનું ઇ-લોકાર્પણ કરાયુ હતું.
કેવડિયા દેશનું પ્રથમ ઈકો ફ્રેન્‍ડલી રેલવે સ્‍ટેશન છે. જયાં દેશના પ્રથમ ઇકો ફ્રેન્‍ડલી રેલવે સ્‍ટેશનમાં વીજ લાઇન સાથે સોલાર સિસ્‍ટમ લગાડવામાં આવી છે, જેના થકી આખું રેલવે સ્‍ટેશન સોલાર પાવરથી ચાલશે. સોલાર પાવરથી ૨૦૦ કિલો વોટનું વીજ ઉત્‍પાદન કરી શકાય છે.

New up 01

 

Related posts

અકસ્માત મૃત્યુ કેસ મા આરોપી ૦૯ વર્ષ બાદ નિર્દોષ સાબિત થયો.

Ahmedabad Samay

રીક્ષા ચાલક ચેતી જજો,ચાર રસ્તાના ૫૦ મીટરમાં રિક્ષા ઉભી રાખશે, તો તેની રિક્ષા ડિટેઈન કરવામાં આવશે.

Ahmedabad Samay

ભાજપનો આતો કેવો વિકાસ,નરોડામાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયાની સમસ્યા,રહીશોમાં મચ્છર જન્ય રોગ ફેલાવાની ચિંતા

Ahmedabad Samay

RTE બીજા રાઉન્ડમાં એડમિશન થી વનચિત રહેલા વિદ્યાર્થીઓને પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવી

Ahmedabad Samay

નાનકડા મિત ગાયકવાડે બચાવ્યા અનેક અબોલ પક્ષીઓના જીવ

Ahmedabad Samay

ગત રાત્રે એલ.ડી.એન્જિનિયર પાસે મતગણતરી સ્થાને પોલીસ કર્મી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા દારૂની મહેફિલ માણતા ઝડપાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો