ફોર્મ ભરતી વેળાએ થયેલી માથાકૂટ બાદ એનસીપીના નેતા રેશ્મા પટેલે કહ્યું હતું કે પોતાના ઘરનો અડ્ડો હોય એવો વ્યવહાર ઉદયભાઈ કરતા હતા.
રેશ્મા પટેલે જણાવ્યું હતું કે પ્રાંત અધિકારી ગઢવીને અમે ત્રણથી ચાર લોકો રજુઆત કરવા ગયા હતા. ત્યારે ચૂંટણી અધિકારી જાણે ભાજપના જ હોય તેવું અમારી સાથે વર્તન કરવા લાગ્યા હતા. ઉદય કાનગડ મારી સાથે તુકારે વાત કરવા લાગ્યા હતા અને જેમ ફાવે તેવું બોલતા હતા. મારી સાથે કેમ ધકકામુકી કરી ખરાબ વર્તન કરી મને બહાર કાઢવામાં આવી. આ મામલે હું ચૂંટણી અધિકારી અને ઉદય કાનગડ વિરૂધ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ કરીશ તેમ જણાવ્યું હતું.
