March 23, 2026
ગુજરાતઅપરાધ

નરોડામાં યુવતીને વેચવાનો કિસ્સો આવ્યો સામે

અમદાવાદ શહેરના નરોડામાં રહેતી એક સગીરા ને છ જેટલા લોકોએ ભેગા મળી રાજસ્થાનના એક યુવકને વેચી દીધી હતી. સગીરાને ખરીદનાર શખસે તેને માથામાં સિંદૂર પુરી લગ્ન કરી લીધા હતા. બાદમાં સગીરાને આ શખ્સ ભરૂચ લઈ જતો હતો ત્યારે  સગીરા તેની ચુંગાલમાંથી ભાગી છૂટી હતી. તેણે પરિવારજનો ને જાણ કરતા શહેરકોટડા પોલીસે સગીરાનો કબજો મેળવી તેનું મેડિકલ કરાવ્યું હતું. જેમાં તેને આઠેક સપ્તાહનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.

પૂછપરછમાં સામે આવ્યું કે તેને ત્રણેક વર્ષથી જુહાપુરાના શાહરુખ સાથે પ્રેમ સબંધ હોવાથી તેની સાથે થયેલા શારીરિક સંબંધથી આ ગર્ભ રહી ગયો હતો. શહેરકોટડા પોલીસે આ અંગે ગુનો નોંધી ફરિયાદ સરખેજ પોલીસને ઝીરો નંબરથી ટ્રાન્સફર કરી હતી. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા તેના માતા અને બહેન બનેવી સાથે રહે છે. તેણે ધો. ૮ સુધી અભ્યાસ કરેલો છે અને તેના જન્મ પહેલાં જ તેના પિતાનું અવસાન થયું હતું. આ સગીરાને અન્ય બે બહેનો પણ છે જે હાલ પરિણીત છે. ગત તા.

૫મી ફેબ્રુઆરી ના રોજ માયાબહેન તથા સજ્જનબહેન, દિનેશભાઇ તથા વર્ષાબહેન ઉર્ફે ચુચી બહેન તથા કાદર ભાઈએ ભેગા મળી આ સગીરાને લાલચ આપી તેને વેચી દેવા માટે છત્રાલ થઈ ધાનેરા લઈ ગયા હતા. અને રાજસ્થાનના કરશન ઉર્ફે રાજુ મારફતે સુરેશ પુરોહિત નામના વ્યક્તિને પૈસા લઈ વેચી દીધી હતી. બાદમાં સુરેશ પુરોહિત એ આ સગીરાના કપાળમાં સેંથામાં સિંદૂર પુરી લગ્ન કર્યા હતા અને તેના ઘરે રાખી અવાર નવાર શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા.

Related posts

મેટ્રો કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલી જિલ્લા રજીસ્ટ્રાર બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

Ahmedabad Samay

પેટ્રોલના ભાવ વધારો સામે યુથ કોંગ્રેસ નો હલ્લાબોલ

Ahmedabad Samay

નડિયાદમાં ટીપી નં.8માં નિયમોનો ભંગ કરતા રજૂઆત કરાઈ, ખુદ પાલિકાના ભાજપના મહિલા સભ્યએ નગર નિયોજકને રજૂઆત કરી

Ahmedabad Samay

ભવાનીસિંહ શેખાવત, ગજેન્દ્રસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા ૧૧૦૦ જેટલા માસ્કનું વિતરણ કરાયુ

Ahmedabad Samay

અમદાવાદ – જીવરાજ પાર્ક અવધ આર્કેટમાં લાગી આગ, 4 લોકોનું રેસ્ક્યુ, ધૂમાડાના ગોટેગોટા ઉડ્યા

Ahmedabad Samay

બપોરે અમદાવાદની સ્કૂલોને મળી બ્લાસ્ટની ધમકી,ધમકીને પગલે વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો