February 5, 2026
ગુજરાતઅપરાધ

નરોડામાં યુવતીને વેચવાનો કિસ્સો આવ્યો સામે

અમદાવાદ શહેરના નરોડામાં રહેતી એક સગીરા ને છ જેટલા લોકોએ ભેગા મળી રાજસ્થાનના એક યુવકને વેચી દીધી હતી. સગીરાને ખરીદનાર શખસે તેને માથામાં સિંદૂર પુરી લગ્ન કરી લીધા હતા. બાદમાં સગીરાને આ શખ્સ ભરૂચ લઈ જતો હતો ત્યારે  સગીરા તેની ચુંગાલમાંથી ભાગી છૂટી હતી. તેણે પરિવારજનો ને જાણ કરતા શહેરકોટડા પોલીસે સગીરાનો કબજો મેળવી તેનું મેડિકલ કરાવ્યું હતું. જેમાં તેને આઠેક સપ્તાહનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.

પૂછપરછમાં સામે આવ્યું કે તેને ત્રણેક વર્ષથી જુહાપુરાના શાહરુખ સાથે પ્રેમ સબંધ હોવાથી તેની સાથે થયેલા શારીરિક સંબંધથી આ ગર્ભ રહી ગયો હતો. શહેરકોટડા પોલીસે આ અંગે ગુનો નોંધી ફરિયાદ સરખેજ પોલીસને ઝીરો નંબરથી ટ્રાન્સફર કરી હતી. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા તેના માતા અને બહેન બનેવી સાથે રહે છે. તેણે ધો. ૮ સુધી અભ્યાસ કરેલો છે અને તેના જન્મ પહેલાં જ તેના પિતાનું અવસાન થયું હતું. આ સગીરાને અન્ય બે બહેનો પણ છે જે હાલ પરિણીત છે. ગત તા.

૫મી ફેબ્રુઆરી ના રોજ માયાબહેન તથા સજ્જનબહેન, દિનેશભાઇ તથા વર્ષાબહેન ઉર્ફે ચુચી બહેન તથા કાદર ભાઈએ ભેગા મળી આ સગીરાને લાલચ આપી તેને વેચી દેવા માટે છત્રાલ થઈ ધાનેરા લઈ ગયા હતા. અને રાજસ્થાનના કરશન ઉર્ફે રાજુ મારફતે સુરેશ પુરોહિત નામના વ્યક્તિને પૈસા લઈ વેચી દીધી હતી. બાદમાં સુરેશ પુરોહિત એ આ સગીરાના કપાળમાં સેંથામાં સિંદૂર પુરી લગ્ન કર્યા હતા અને તેના ઘરે રાખી અવાર નવાર શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા.

Related posts

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

Ahmedabad Samay

અમદાવાદ – ગુજરાત વિદ્યાપીઠના 50 જેટલા સેવકોને મકાન ખાલ કરવા માટે મળી નોટિસ

Ahmedabad Samay

લોકડાઉન કરો અથવા નિયમો કડક બનાવો આ પ્રકારે લાચાર તંત્રથી કોરોના કાબુમાં નહી આવે: હાઇકોર્ટ

Ahmedabad Samay

ગોલ્ડમેન કુંજલ પટેલે ગળે ફાસો ખાઇ આત્મહત્યા કરી,

Ahmedabad Samay

અમદાવાદની સિંધુ ભવન પાસે આવેલી  હોટેલમાં સીડી પરથી પટકાતા યુવકનું થયું મૃત્યુ

Ahmedabad Samay

તૌકતે એ ૪૫ જેટલા લોકોનો જીવ લીધો, હજારો વૃક્ષો ધરાશય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો