May 7, 2026
ગુજરાત

આજ રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ તરફે દ્વિતીય વિદ્યાર્થી સન્માન સ્માહરોહ આયોજન કરવામાં આવ્યું

આજ રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ તરફે દ્વિતીય વિદ્યાર્થી સન્માન સ્માહરોહ આયોજન કરવામાં આવ્યા હતું, જેમાં મરાઠી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ, ટ્રોફી, અને શિક્ષણને લગતી એક કીટ આપવામાં આવી હતી જેમાં બુક્સ, પેન્સિલ, પેન, રાઈટિંગ પેડ, વોટર બોટલ, લંચ બોક્સ અને કંપાસ બોક્સ વિતરણ કરવામાં આવ્યું હતું,

આ પ્રસંગમાં મુખ્ય અતિથિ તરીકે કુબેરવોર્ડના કોર્પોરેટર શ્રી નિકુલસિંહ તોમર, NCP ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી નરેશ ચૌહાન, શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમોલભાઉ ધબડકે અને અમદાવાદ સમય સમાચારપત્રના સહ તંત્રી શ્રી નિરજસિંહ ભદૌરિયા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને તેમના ભાવિ ભવિષ્યમાંટે શુભેચ્છાઓ અર્પણ આપી હતી,

પ્રિયાંશી સંજય મુરુડકરે BBA સેમિસ્ટર ૦૪ માં ખૂબ સુંદર મહેનત કરી કોલેજમાં પ્રથમ અને સંપૂર્ણ ગુજરાતમાં ૧૮મો રેન્ક લાવી  સમાજનું નામ રોશન કર્યું છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના લોકોએ પણ તેમનો યોગદાન આપ્યો હતો, નીતા પ્રશાંત દાભોળકર તરફે કંપાસ બોક્સ,રશ્મિબેન સુદીપ પાવસ્કર તરફે 10મા અને 12મા બોર્ડના કોઈપણ વેપારમાં ડિપ્લોમા/ડિગ્રી, FY/SY/TY ઉચ્ચતમ ગુણ/ટકા સાથે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર ધારક ફાઇલ આપવામાં આવી હતી, શ્રી અજય તામણકર તરફે લંચ બોક્સ, વોટર બોટલ અને જમણવારનો સંપૂર્ણ ખર્ચ આપવા આવ્યો હતો,વિશાલ પાટણકર તરફે 1100 ડોનેશન કરવામાં આવ્યુ,શ્રી નંદા સિરસોલકર તરફે તમામ વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ કરવામાં આવ્યું હતું, શ્રી સોનિયા દેવલેકર તરફે રાઇટિંગ પેઇડ આપવામાં આવ્યા હતા,શ્રી તુલસીનાથ દાભોલકર તરફે ટ્રોફી વિતરણનો ખર્ચ ચૂકવવામાં આવ્યો હતો, શ્રી વિષ્ણુ જાધવ તરફે 1551 ₹ ડોનેશન આપવામાં આવ્યું હતું,શ્રી મહેન્દ્ર તામનકર તરફે પેન્સિલ અને પેન ભેટ આપવામાં આવી હતી, આઈસ્ક્રીમનું આયોજન શ્રી નરેશ તામનકર અને જિતેન્દ્ર કેલકર દ્વારા કરવામાં આવ્યું હતું અને વિજય દેવલે તરફે SSC, HSC અને ગ્રેજ્યુએશન ₹ 500 કવર આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં સમાજના અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, ટ્રસ્ટના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અંતમાં જિલ્લા અધ્યક્ષ શ્રી સંજય દેવલેકરે કાર્યક્રમ સફળ બનાવવા બદલ સમત સમાજ બંધુ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

Related posts

મધ્યપ્રદેશ સરકારે કોરોનાને કારણે લગાવેલ તમામ પ્રતિબંધ હટાવ્યા, ગુજરાતમાં પણ માર્ચમાં કોરોના પ્રતિબંધોમાંથી રાહત મળી શકે છે

Ahmedabad Samay

હાલમાં ૧૮ રૂપિયામાં મળતી એક સિગારેટ ટૂંક સમયમાં ૭૨ રૂપિયામાં મળશે

Ahmedabad Samay

ઇન્દ્રપુરીવોર્ડમાં આમ આદમી પાર્ટીની બબીતા જૈન દ્વારા જન સમ્પર્ક પુર જોશમાં

Ahmedabad Samay

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજથી નવું પોર્ટલ કાર્યરત કરાશે

Ahmedabad Samay

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવાયી

Ahmedabad Samay

વીર મેહુરજી યુવા શક્તિ સંગઠન દ્વારા કે.જી.વણઝારા અને ડી.જી.વણઝારા ની શુભેચ્છા મુલાકાત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો