લુણાવાડાના ધૈર્યરાજને નવુ જીવન માટે 22 કરોડના ઈન્જેક્શનની જરૂર છે. લાચાર માતાપિતા આ ખર્ચ ઉપાડી શક્તા નથી. ત્યારે તેમણે લોકો પાસેથી રૂપિયાની મદદ માંગી છે. ગત એક સપ્તાહમાં ગુજરાતભરમાંથી લોકો ધૈર્યરાજની મદદ માટે આગળ આવી રહ્યાં છે. અનેક લોકો ધૈર્યરાજની સારવાર માટે દાન કરી રહ્યાં છે. ધૈર્યરાજસિંહની મદદ માટે ગુજરાતભરમાં મુહિમ ચાલી રહી છે.

તેવામાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા અર્થે જનતા પાસે સારવાર માટે દાન એકત્રિત કરવામાં આવ્યું હતું, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ના મનોજ તોમર અને કાર્યકરો એ મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
