May 19, 2026
ગુજરાત

અમદાવાદના ભાર્ગવ વિસ્તારમાં આવેલ કુંભાજી ની ચાલીમાં બોલાચાલી થતા બેને ચાકુના ઝીંકી નાખ્યા

અમદાવાદના ભાર્ગવ વિસ્તારમાં મારામારી ના કિસ્સામાં વધારો થવા લાગ્યો છે લુખ્ખા તત્વોનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે

ગત મોડી રાત્રે બે મારા મારી ના બનાવ બનવા પામ્યા છે જે માં કુંભાજીની ચાલીમાં ૪ લુખ્ખા તત્વોએ ૦૨ ભાઈઓને ચાકુના ઘા ઝીંકી નાખ્યા જેને લીધે બને ભાઈઓ ને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

નોકરી થી છૂટીને  સાતેક વાગ્યાના સુમારે ચાલીના નાકે આવેલ  દુકાનેથી પરત ઘરે આવતો હતો ત્યારે ચાલીના નાકે ચાલીમાં રહેતો આકાશ  સાહની તથા તેનો મિત્ર પંકજ  નિશાદ બને  ચાલીના નાકે ઉભા હતા અને આકાશ સાહનીએ રવીન્દ્રને કહેવા લાગેલ કે ‘ તુ ચાલી નો દાદા થઇ ગયેલ છે’ તેમ કહી બોલા ચાલી ઝઘડો કરેલ જે વાત  તેના ભાઈને તે તેના ભાઈ રવિંદર સાથે  ચાલીમાં રહેતા આકાશ સાહની ના ઘર આગળ ગયેલા તે વખતે આકાશ ના મિત્રો પંકજ નિશાદ તથા રોહન રાજપુત તથા રાજેશ  સાહની પણ ત્યાં હાજર હતો

તે સમયે રવિન્દ્ર અને તેનો ભાઈ તેમને સમજાવતો હતો તે વખતે આકાશ કહેવા લાગેલકે “તમે કેમ અહી આવ્યા છો અહીથી જતો રહો” તેમ કહી ગંદી બિભત્સ ગાળો બોલવા લાગેલ જેથી રવિંદરએ ગાળો બોલવાની ના પાડતા આકાશના મિત્રે બંન્ને ભાઇને ગડદા પાટુ અને ફેટોનો માર મારવા લાગયો હતો અને તેટલામાં  આકાશના મિત્ર પંકજ નિશાદ અને રાજેશ સાહની  એ રવિન્દ્રને પકડી રાખયુ  અને આકાશે તેના પેન્ટના ખિસ્સામા થી ચાકુ કાઢી રવીન્દ્ર ને માથે ડાબી બાજુ એક ઘા મારયો અને ચાકુનો બીજો ધા ડાબા ખભા ઉપર મારી દિધેલ તે વખતે પવન  સાહની  છોડાવવા વચ્ચે પડતા “આકાશ તુ કેમ વચ્ચે પડે છે તેમ કહી તેને પણ પેટના ડાબી , બાજુના ભાગે એક ઘા મારી દિધેલ ” જેથી  ભાઇ રવિંદર અને પવનને લોહી નિકળવા લાગયુ હતું અને આ ઘટના ની જાણ થતા બુમાબુમ થતા આજુબાજુના માણસો ભેગા થઇ જતા આ ચારેય જણા ત્યાથી ભાગી ગયેલ હતા.

સમગ્ર ઘટનાની મેઘાણીનગર પોલીસને જાણ થતાં ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

Related posts

વિશ્વ હિન્દુ પરિષદ ગૌ રક્ષા દ્વારા ગૌ રક્ષા મુદ્દે અમદાવાદના સંગઠનો સાથે મુલાકાત લીધી

Ahmedabad Samay

અસંગઠિત શ્રમિકો માટે આર્શિવાદ રૂપી ત્રણ વર્ષથી બંધ “ અન્નપૂર્ણા યોજના ” શ્રમિકોના વિશાળ હિતમાં શરૂ કરવા કામદાર કર્મચારી કોગ્રેસનાં કો – ઓડીનેટર શ્રી જ્યોર્જ ડાયસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

Ahmedabad Samay

નરોડામાં યુવતીને વેચવાનો કિસ્સો આવ્યો સામે

Ahmedabad Samay

ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. ૧ જુલાઇ ર૦ર૧ ગુરુવાર થી યોજાશે

Ahmedabad Samay

અરવલ્લી મોડાસા ખાતે ટુ તથા ફોર વ્હીલર વાહનની સીરીઝના નંબરોની જાહેર હરાજી કરાશે

Ahmedabad Samay

આનંદ અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૯મી જરુરીયાતમંદ દીકરીના નિઃશુલ્ક લગ્ન કરવામાં આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો