મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણમાં લગાતાર વધારો થઈ રહ્યો છે, સીએમ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના લોકોને કોવિડ ગાઈડલાઇન્સનું પાલન કરવાની અપીલ કરી હતી, પરંતુ કોરોના સંક્રમણમાં કમી આવી નહોત, જેના લીધે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.
રાજ્યમાં કોરોનાવાઈરસના કેસ ભયજનક રીતે વધી ગયા હોવાથી રવિવાર 28 માર્ચથી રાતનો કર્ફ્યૂ લાગુ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળ આજે જિલ્લા કલેક્ટરો અને વિભાગીય કમિશનરો સાથે વિડિયો કોન્ફરન્સ યોજાયા બાદ સરકારે નાઈટ-કર્ફ્યૂનો નિર્ણય લીધો છે.
અગાઉ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આજે કહ્યું હતું કે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન ફરી લાગુ કરવું જોઈએ કે નહીં તે વિશેનો નિર્ણય મહાવિકાસ આઘાડી સરકાર 2 એપ્રિલ પછી લેશે
