મુખ્યમંત્રી રૂપાણીની અધ્ય્ક્ષતામાં યોજાયેલા હાઈપાવર કમિટીની બેઠક પૂર્ણ, કાલે ફરી રીવ્યુ બેઠક યોજાશે જેમાં લોકડાઉન અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે
મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે આગામી 30 એપ્રિલ સુધી રાજકીય અને સામાજિક ક્રાર્યક્રમો પર પ્રતિબંધ રહેશે ,જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવા મુખ્યમંત્રી રૂપાણી લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે ટેસ્ટિંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મુકાશે
સરકારી કચેરીઓમાં શનિ-રવિવારે રજા રખાશે , મોટા મેળાવડા પર પાબંધી લાગુ કરાઈ છે જયારે લગ્ન પ્રસંગમાં હવે 100 લોકોને મંજૂરી આપી છેઆ આ અગાઉ 200 લોકોને મંજૂરી હતી
આ ઉપરાંત 30 એપ્રિલ સુધી મોટા કાર્યક્રમો બંધ રહેશે. રાજ્યના ૨૦ શહેરો અમદાવાદ , સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી. સહિતના શહેરોમાં રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે
