July 15, 2026
ગુજરાત

રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રોનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજિયાત સ્વીકારાશે

ગુજરાત રાજ્યના આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ યાદી જાહેર કરીને છે કે, રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રોનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજિયાત સ્વીકાર કરવો પડશે.
આ નિર્ણયનો હેતુ ડિજિટલ પ્રમાણપત્રોની સ્વીકૃતિ વધારવાનો અને નાગરિકોના દસ્તાવેજીકરણની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.
CRS પોર્ટલ દ્વારા નાગરિકોને સુવિધા
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, જન્મ અને મરણની નોંધણી કરનાર રજિસ્ટ્રાર-સબ-રજિસ્ટ્રારની ડિજિટલ સિગ્નેચર સાથેના પ્રમાણપત્રો CRS Portal માં જનરેટ થાય છે. આ પ્રમાણપત્રો નાગરિકોને તેમના ઈ-મેઈલ આઈડી પર સીધા મોકલી આપવામાં આવે છે. આ ઉપરાંત, નાગરિકો રજિસ્ટ્રાર-સબ-રજિસ્ટ્રારની કચેરીમાંથી પણ આ પ્રમાણપત્ર મેળવી શકશે.

નોંધનીય છે કે રાજ્યમાં જન્મ-મરણની નોંધણી માટે અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા E-olakh Application કાર્યરત હતી, તેના બદલે તા. ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત CRS Portal ઉપર નોંધણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ નવા પોર્ટલ થકી જ ડિજિટલ સિગ્નેચરવાળા પ્રમાણપત્રો જારી કરવામાં આવે છે, જે હવે સત્તાવાર માન્યતા ધરાવે છે.

Related posts

કોર્પોરેટર શ્રી રાજેન્દ્રભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં ખાડા પડતા લોકોની મુશ્કેલીઓ વધી, એસપી રીંગરોડ પર 2 ફૂટ પહોળા ખાડા

Ahmedabad Samay

અમદાવાદની અનાથ દીકરીને અમેરિકાના દંપતીએ દત્તક લીધી

Ahmedabad Samay

અરવલ્લી મોડાસા ખાતે ટુ તથા ફોર વ્હીલર વાહનની સીરીઝના નંબરોની જાહેર હરાજી કરાશે

Ahmedabad Samay

શહેરમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, એકજ ફ્લેટમાં ૧૪૦ લોકો કોરોના ગ્રસ્ત

Ahmedabad Samay

અમદાવાદમાં અલર્ટ જાહેર,અમદાવાદ પોલીસ કમિશ્રર સંજય શ્રીવસ્તવ દ્વારા અલર્ટ જાહેર કરાયુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો