February 5, 2026
ગુજરાત

રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રોનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજિયાત સ્વીકારાશે

ગુજરાત રાજ્યના આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ યાદી જાહેર કરીને છે કે, રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રોનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજિયાત સ્વીકાર કરવો પડશે.
આ નિર્ણયનો હેતુ ડિજિટલ પ્રમાણપત્રોની સ્વીકૃતિ વધારવાનો અને નાગરિકોના દસ્તાવેજીકરણની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.
CRS પોર્ટલ દ્વારા નાગરિકોને સુવિધા
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, જન્મ અને મરણની નોંધણી કરનાર રજિસ્ટ્રાર-સબ-રજિસ્ટ્રારની ડિજિટલ સિગ્નેચર સાથેના પ્રમાણપત્રો CRS Portal માં જનરેટ થાય છે. આ પ્રમાણપત્રો નાગરિકોને તેમના ઈ-મેઈલ આઈડી પર સીધા મોકલી આપવામાં આવે છે. આ ઉપરાંત, નાગરિકો રજિસ્ટ્રાર-સબ-રજિસ્ટ્રારની કચેરીમાંથી પણ આ પ્રમાણપત્ર મેળવી શકશે.

નોંધનીય છે કે રાજ્યમાં જન્મ-મરણની નોંધણી માટે અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા E-olakh Application કાર્યરત હતી, તેના બદલે તા. ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત CRS Portal ઉપર નોંધણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ નવા પોર્ટલ થકી જ ડિજિટલ સિગ્નેચરવાળા પ્રમાણપત્રો જારી કરવામાં આવે છે, જે હવે સત્તાવાર માન્યતા ધરાવે છે.

Related posts

મીઠાખળી ગામનું ત્રણ માળનું અતિ જર્જરિત મકાન ભારે વરસાદના મારથી પડી ભાંગ્યું,૪ નો બચાવ કરવામાં આવ્યું અને એકનું મૃત્યુ થયેલ છે

Ahmedabad Samay

ગાંધીનગર-તલાટીની પરીક્ષામાં આજે 1 વાગ્યાથી ડાઉનલોડ કરી શકો છો કોલલેટર

Ahmedabad Samay

અમદાવાદ રેલવે સ્ટેશને 16 માળની ઈમારત બનશે. સરસપુર તરફ બની રહેલ બુલેટ ટ્રેનનુ સ્ટેશન આ રેલવે સ્ટેશનનો ભાગ હશે

Ahmedabad Samay

ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે અમિતાભ બચ્ચન, રજનીકાંત અને સચિન અમદાવાદના મહેમાન બનવાના છે

Ahmedabad Samay

દર્શકો વિના મેચ રમવાના નિર્ણયના કારણે ટિકિટોનું રિફંડ કરવાનું ચાલુ કરાયું

Ahmedabad Samay

હવે સારવાર નાની હોય કે મોટી, આરોગ્‍ય વીમો તમને મદદ કરશે. જો તમને ફક્‍ત ૨ કલાક માટે હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવે તો પણ તમને હક દાવો મળશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો