May 25, 2026
ગુજરાત

રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રોનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજિયાત સ્વીકારાશે

ગુજરાત રાજ્યના આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ યાદી જાહેર કરીને છે કે, રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રોનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજિયાત સ્વીકાર કરવો પડશે.
આ નિર્ણયનો હેતુ ડિજિટલ પ્રમાણપત્રોની સ્વીકૃતિ વધારવાનો અને નાગરિકોના દસ્તાવેજીકરણની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.
CRS પોર્ટલ દ્વારા નાગરિકોને સુવિધા
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, જન્મ અને મરણની નોંધણી કરનાર રજિસ્ટ્રાર-સબ-રજિસ્ટ્રારની ડિજિટલ સિગ્નેચર સાથેના પ્રમાણપત્રો CRS Portal માં જનરેટ થાય છે. આ પ્રમાણપત્રો નાગરિકોને તેમના ઈ-મેઈલ આઈડી પર સીધા મોકલી આપવામાં આવે છે. આ ઉપરાંત, નાગરિકો રજિસ્ટ્રાર-સબ-રજિસ્ટ્રારની કચેરીમાંથી પણ આ પ્રમાણપત્ર મેળવી શકશે.

નોંધનીય છે કે રાજ્યમાં જન્મ-મરણની નોંધણી માટે અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા E-olakh Application કાર્યરત હતી, તેના બદલે તા. ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત CRS Portal ઉપર નોંધણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ નવા પોર્ટલ થકી જ ડિજિટલ સિગ્નેચરવાળા પ્રમાણપત્રો જારી કરવામાં આવે છે, જે હવે સત્તાવાર માન્યતા ધરાવે છે.

Related posts

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સતત ત્રીજા દિવસે મેઘમેહેર

Ahmedabad Samay

સ્કાય ડાઇનિંગની મજા માણો હવે ગુજરાતના રાજકોટમાં

Ahmedabad Samay

ગુજરાત સરકાર દ્વારા મોબાઇલ એપ્લિકેશન દ્વારા દારૂની પરમિટ ઇશ્યૂ કરવાની યોજના બનાવી

Ahmedabad Samay

સુરત: નિવૃત્ત મામલતદારના ઘરે સાફ-સફાઈ કરવા આવેલી બે મહિલા ઘરઘાટીએ પહેલા જ દિવસે હાથ સાફ કર્યો, 7.80 લાખના દાગીના લઈ ફરાર થઈ

Ahmedabad Samay

જોધપુર વોર્ડમાં કોંગ્રેસના 3 ઉમેદવારોના ફોર્મ લઇ અન્ય ઉમેદવાર છુમંતર

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાષ પરિષદ દ્વારા અમદાવાદના સરસપુર ખાતે નિઃશુલ્ક ઓક્સિન બેડ ની સુવિધા કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો