November 17, 2025
ગુજરાત

રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રોનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજિયાત સ્વીકારાશે

ગુજરાત રાજ્યના આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ યાદી જાહેર કરીને છે કે, રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રોનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજિયાત સ્વીકાર કરવો પડશે.
આ નિર્ણયનો હેતુ ડિજિટલ પ્રમાણપત્રોની સ્વીકૃતિ વધારવાનો અને નાગરિકોના દસ્તાવેજીકરણની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.
CRS પોર્ટલ દ્વારા નાગરિકોને સુવિધા
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, જન્મ અને મરણની નોંધણી કરનાર રજિસ્ટ્રાર-સબ-રજિસ્ટ્રારની ડિજિટલ સિગ્નેચર સાથેના પ્રમાણપત્રો CRS Portal માં જનરેટ થાય છે. આ પ્રમાણપત્રો નાગરિકોને તેમના ઈ-મેઈલ આઈડી પર સીધા મોકલી આપવામાં આવે છે. આ ઉપરાંત, નાગરિકો રજિસ્ટ્રાર-સબ-રજિસ્ટ્રારની કચેરીમાંથી પણ આ પ્રમાણપત્ર મેળવી શકશે.

નોંધનીય છે કે રાજ્યમાં જન્મ-મરણની નોંધણી માટે અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા E-olakh Application કાર્યરત હતી, તેના બદલે તા. ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત CRS Portal ઉપર નોંધણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ નવા પોર્ટલ થકી જ ડિજિટલ સિગ્નેચરવાળા પ્રમાણપત્રો જારી કરવામાં આવે છે, જે હવે સત્તાવાર માન્યતા ધરાવે છે.

Related posts

સોલા પોલીસે ગેટ ટુ ગેધર દરમિયાન યોજાયેલ ગરબાના આયોજન પર માહિતી મળતા રેડ પાડી

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ આવું હશે.

Ahmedabad Samay

ગાંધીનગર જિલ્લાના છાલા ગામે “આયુષ મેળા” યોજાયો : ૧૪ હજારથી વઘુ નાગરિકોએ મેળાનો લાભ લીઘો

Ahmedabad Samay

૧૦મી નવેમ્‍બરે ભાજપની પહેલી યાદી આવી શકે છે.

Ahmedabad Samay

આરટીઓમાં અત્યાર સુધીમાં અલગ-અલગ ગુનામાં કુલ 200 લાયસન્સ રદ કરાયા

Ahmedabad Samay

ગ્રામ્ય પોલીસ વિરમગામ વિભાગ દ્વારા પીએસઆઇ અને કોન્સ્ટેબલની તૈયારી માટે માર્ગદર્શન અપાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો