
કોરોના કાળ માં ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે તેવામાં વડોદરામાં આવેલ NBC કંપની દ્વારા એક સાથે ૪૮૦ જેટલા કર્મચારીઓ ને નોકરી પરથી છુટા કરવામાં આવતા કર્મચારીઓ ઉપર આભ કૃતિગ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે તેમના તરફથી અવાજ ઉઠાવનાર કોઇન હોવાના કારણે કંપની મનમાની કરી રહી છે.
તેવા માં કરણી સેના આ કર્મચારીઓ સાથે ખભે થી ખભો મલાવી ઉભા થયા છે, કંપની દ્વારા કરવામાં આવેલા અન્યાય સામે કરણી સેના અને તેના અધ્યક્ષ રાજ શેખાવત અવાજ ઊઠાવી રહ્યા છે તો અને વિરોધ કરી રહ્યા છે તો પોલીસ દ્વારા કરણી સેના ના અધ્યક્ષ રાજ શેખાવત અને પદાધિકારીઓ ને નજર કેદ કરવામાં આવ્યા હતા ,
રાજ શેખાવત વડોદરા જવા નીકળ્યા હતા ત્યારે તેમની નરોડા વિસ્તારમાજ અટકાયત કરવામાં આવી હતી,
અન્યાય સામેની આ લડતમાં અવાજ ઉઠાવનાર સમક્ષ જ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ આવી કપરી પરિસ્થિતિમાં ૪૮૦ કર્મચારીઓ ને છૂટાં કરી દીધેલ કંપની સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
