March 23, 2026
ગુજરાત

અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં ઓમીક્રોનનો કેસ થયો દાખલ, રાજ્યમાં કુલ ૧૦ કેસ થયા ઓમીક્રોનના

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડમાં એક દર્દી સારવાર હેઠળ છે. મૂળ આણંદના 48 વર્ષિય ઓમિક્રોન પોઝિટિવ દર્દીને સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલ ઓમિક્રોન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ દર્દી સંપૂર્ણ સ્વસ્થ છે. મહત્વનુ છે કે દર્દી લંડનથી દુબઇનો પ્રવાસ કરીને અમદાવાદ આવ્યા હતા. જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમની સારવાર અમદાવાદ સિવિલ ખાતે જ કરવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે રાજ્યમાં કોરોના નવા ઓમિક્રોનનો ખતરો ઝડપથી ફેલાઈ રહ્યો છે. ગઈકાલે રાજ્યમાં ઓમિક્રોનના વધુ ત્રણ નવા કેસ નોંધાયા છે. વિદેશથી પરત આવેલા ત્રણ લોકો ઓમિક્રોનથી સંક્રમિત મળ્યા છે.બ્રિટનથી આવેલ બે પુરૂષો અને યુએઈથી આવેલા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે ગુજરાતમાં ઓમિક્રોન કેસની સંખ્યા વધી 10 પર પહોંચી છે. ઓમિક્રોનના નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

રાજ્યમાં નોંધાયેલા 3 નવા કેસ ગાંધીનગર કોર્પોરેશન, સુરત મહાનગરપાલિકા અને આણંદ શહેરી વિસ્તારની હદમાં નોંધાયા છે. રાજ્યમાં આ 3 નવા કેસ સાથે ઓમિક્રોન કેસની સંખ્યાનો આંકડો 10 પર પહોંચ્યો છે. ગઈકાલે 17 ડિસેમ્બરે વડોદરામાં 2 કેસ નોંધાયા હતા. જ્યારે જામનગરમાં 3 દર્દી સાજા થયાં હતાં.

Related posts

ગાંધીનગર: ગૃહમંત્રી અમિત શાહની ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાતનો બીજો દિવસ

Ahmedabad Samay

રક્ષાબંધન નિમિતે ખાનગી બસ સંચાલકોએ ભાડામાં વધારો કરી દીધો

Ahmedabad Samay

હાર્દિક પટેલ ગુરૂવારે તા. ર જૂનના રોજ ભાજપમાં જોરો શોરોથી જોડાશે

Ahmedabad Samay

કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બહ્મ સમાજ દ્વારા કિંજલ દવે એ આંતરજ્ઞાતિય સગાઈ કરતા પરિવારનો સામાજિક બહિષ્કાર કરાયો

Ahmedabad Samay

અમદાવાદની નરોડા ખાતે આવેલ ખારીકટ કેનાલનું ફેઝ વનનું કામ પૂર્ણતાના આરે

Ahmedabad Samay

મહાભિયાન હાથ ધરાયુ, રાજ્ય સરકારે માર્ગ મરામત મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો