March 23, 2026
ગુજરાત

બે ડોઝ છે ફાયદાકારક, બે ડોઝ બાદ ઝડપથી રિકવરી આવી

સિવિલ હોસ્પિટલના તબીબ ડૉ. યતીન દરજીએ કહ્યું, કોરોનાથી બચવા માટે વેક્સીન કારગર હથિયાર છે. રસીના કારણે જ તેઓ ગંભીર સંક્રમણથી બચી શક્યા છે માટે તમામે રસી લેવી જોઈએ. ડૉ. યતીને ૧૨મી ફેબ્રુઆરીએ પ્રથમ ડોઝ અને ૧૩મી માર્ચે બીજો ડોઝ લીધો હતો. ત્યારબાદ પણ તેઓ ફરજ પર કાર્યરત રહ્યા હતા. પરંતુ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હોવાથી કોરોના વાયરસનું આ ઘાતક સ્વરૂપ તેમના ફેફસાના ૨૦થી ૨૫ ટકા વિસ્તારને જ નુકસાન પહોંચાડી શક્યું.

તબીબી સારવાર અને વેક્સીનના બંને ડોઝ લીધા હોવાથી ડૉ. યતીનના શરીરમાં ઉત્પન્ન થયેલા એન્ટીબોડીઝે શરીરમાં પ્રવેશેલા વાયરસ સામે પ્રતિકાર કર્યો હતો. કોરોના સામે લડત આપીને તેઓ ખૂબ ઝડપથી સાજા થયા હતા અને ઘરે પરત ફર્યા છે. કોરોના વોર્ડમાંથી લોકોને અપીલ કરતાં તબીબે કહ્યું, મેં કોરોનાની રસી લીધી હતી અને તેના કારણે જ સંક્રમિત થયા બાદ પણ ઝડપથી સાજો થઈ શક્યો છું. દેશના તમામ નાગરિકોએ રસી અચૂકપણે લઈને સંક્રમણથી સુરક્ષિત થવું જોઈએ.

ડૉ. યતીન દરજીના કહેવા અનુસાર, કોરોનાની રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. રસી લીધા બાદ સરકારી નિર્દેશોનું પાલન પણ જરૂરી છે. રસી લીધા બાદ સંક્રમણ સંબંધિત વિસ્તારમાં જવાથી સંક્રમણનો લાગવાનો ભય રહે છે. બાકીના કિસ્સામાં સામાન્ય સંક્રમણથી રસીના કારણે જરૂરથી બચી શકાય છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે, અમારી ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં કોરોનાના રસીકરણ બાદ સંક્રમિત થઈને આવેલા દર્દીઓમાં વાયરસની ગંભીરતાનું પરિણામ ઓછું જોવા મળ્યું છે. જેમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ખૂબ જ ઝડપથી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

Related posts

ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા, ગૃહ મંત્રી અમિત શાહ અને CM ભુપેન્દ્ર પટેલ ૧૪૬મી રથયાત્રામાં ઉપસ્થિત રહ્યા

Ahmedabad Samay

ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે અમિતાભ બચ્ચન, રજનીકાંત અને સચિન અમદાવાદના મહેમાન બનવાના છે

Ahmedabad Samay

અમદાવાદની સુપ્રસિદ્ધ જગન્નાથ યાત્રા હશે ૧૪૯મી ઐતિહાસીક યાત્રા, જાણો ક્યારે હશે ઐતિહાસિક યાત્રા

Ahmedabad Samay

નિકોલની પંચામૃત નર્સિંગ ઇન્સસ્ટિટ્યૂની દાદાગીરી,ફી ભરવા બાબતે વાલી પર દબાણ કરવામા આવ્યુ

Ahmedabad Samay

આપ દ્વારા ભાજપની તમામ નિષ્ફળતાઓની પોલ ખોલવા માટેનો સમાંતર કાર્યક્રમ યોજાશે

Ahmedabad Samay

સાપ્તાહિક રાશિ ભવિષ્ય જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેશભાઇ જોષી સાથે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો