March 26, 2026
ગુજરાત

ઓમિક્રોનનું સંક્રમણ વધતા રાજ્યો થયા સતર્ક

દેશમાં અત્યાર સુધીમાં ૩૪૧ લોકો જીવલેણ કોરોના વાયરસના ખતરનાક ઓમિક્રોન પ્રકારથી સંક્રમિત થયા છે. કોરોનાના વધતા ખતરાને જોતા વડાપ્રધાન મોદીએ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠક બાદ પીએમ મોદીએ દેશવાસીઓને સાવચેત અને સતર્ક રહેવાની સલાહ પણ આપી હતી. ઓમિક્રોનની ધમકી વચ્ચે પીએમ મોદીએ કોરોનાના આવનારા મોજા સામે દેશનું મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રકચર કેટલું તૈયાર છે તેની સંપૂર્ણ અપડેટ લીધી.

સાથે જ કેન્દ્ર દ્વારા નાતાલ અને નવા વર્ષની ઉજવણી, શું કરવું અને શું ન કરવું તે અંગે રાજય સરકારોને સૂચનાઓ આપવામાં આવી છે. જે બાદ સાંજ સુધીમાં અનેક રાજયોએ પોતાને ત્યાં કડક પ્રતિબંધ જાહેર કર્યા છે.

મધ્ય પ્રેદશ સરાકરે રાત્રે ૧૧ વાગ્યાથી ૫ વાગ્યા સુધીના નાઈટ કર્ફ્યૂની જાહેરાત કરી છે. ઉપરાંત જિમ, કોચિંગ, થિયેટર, સિનેમા હોલ, સ્વીમિંગ પૂલમાં ૧૮ વર્ષથી વધુની ઉંમરના હોય અને જેઓએ વેકિસનના બંને લીધા હોય તેમને જ એન્ટ્રી મળશે.

દિલ્હીમાં નાતાલ અને નવા વર્ષની જાહેર ઉજવણી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્ય છે. ઉપરાંત હોટલ, બાર કે રેસ્ટોરાંમાં ૫૦% સિટિંગ કેપિસિટીને મંજૂરી હશે.

યૂપીમાં નોઈડા અને લખનઉમાં યોગી સરકારે ૩૧ ડિસેમ્બર સુધી કલમ ૧૪૪ લગાવી દીધી છે.

ઓમિક્રોનની નવી લહેરને જોતા તેલંગાણાના લોકો પણ વધુ ચિંતિત બન્યા છે. આ ક્રમમાં ત્યાંના એક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ગામમાં ઓમિક્રોનના કેસ ન વધે તે માટે ગ્રામજનોએ આ નિર્ણય લીધો છે.

કર્ણાટકમાં ૩૦ ડિસેમ્બરથી ૨ જાન્યુઆરી સુધી નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જોકે ક્રિસમસની ઉજવણી પર કોઈ પ્રતિબંધ નથી લગાવવામાં આવ્યો છે. પણ ચર્ચમાં મોટી ભીડ એકઠી ન થાય તેના આદેશ આપવામાં આવ્યા છે.

તમિલનાડુમાં રાજય સરકારે નાતાલ અને નવા વર્ષની ઉજવણીને મંજૂરી આપી છે. પણ હોટલ-કલબમાં માત્રા કોરોના વેકિસનેટ હશે તેમને જ એન્ટ્રી આપવાની જાહેરાત કરી છે. ચેન્નાઈના દરિયાઈ બીચ પર પણ મર્યાદિત સંખ્યામાં લોકો નવા વર્ષની ઉજવણી કરી શકશે.

મહારાષ્ટ્રમાં ફરી સ્કૂલ બંધ કરવામાં આવી છે. જયારે નવા વર્ષની ઉજવણી અને ક્રિસમસની ઉજવણીને લઈ નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. મુંબઈમાં હવે આયોજન સ્થળના ૫૦% ક્ષમતા સુધી જ લોકો એકઠાં થઈ શકશે. નાસિકમાં વેકિસન નહીં લેનારને મોલ્સ અને સરકારી ઓફિસમાં જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ઓડિશામાં નવા વર્ષની ઉજવણીની પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રાજયની હોટલ્સ, રેસ્ટોરાં અને પબ્લિક પ્લેસ પર આ પ્રતિબંધ ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરીએ લાગુ રહેશે.

New up 01

Related posts

માત્ર ‘બલવંત રાય’ કે ‘કાત્યા’ જ નહીં, સની દેઓલે આ કલાકારો સાથે પણ બાથ ભીડી, કોઈને ‘ઘાયલ’ કર્યા તો કોઈ માટે ‘ઘાતક’ બન્યા

Ahmedabad Samay

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વોલેન્ટીયર્સ તાલીમ કાર્યક્રમ  આયોજન કરાયું

Ahmedabad Samay

દિવાળીના તહેવારે ગુજરાતભરમાં આગના બનાવો બન્યા

Ahmedabad Samay

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સૌને ચોંકાવી દે એવી આગાહી કરી,આગામી 03 થી 13 એપ્રિલ સુધી રાજ્યના ઘણાં ભાગમાં વાવાઝોડું ફૂંકાઈ શકે

Ahmedabad Samay

અમદાવાદમાં 2 કિલો ડ્રગ્સ યુપીથી મોકલવામાં આવ્યું હતું, એસઓજી યુપી જઈ આરોપીને પકડશે

Ahmedabad Samay

અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન ધસી પડી હતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો