January 24, 2026
ગુજરાત

રાજકોટ હોમગાર્ડ જવાનોને માઠા સમાચાર, ૫૦૦થી વધુ હોમગાર્ડ જવાનોને છૂટા કરાયા

રાજકોટથી હોમગાર્ડ જવાનોને માઠા સમાચાર આવી રહ્યા છે. રાજકોટમાં હોમગાર્ડ જવાનોને છૂટા કરાવાનો આદેશ થતા ખળભળાટ મચી ગયો છે. ૫૦૦થી વધુ હોમગાર્ડ જવાનોને છૂટા કરાયા છે.મળેલી માહિતી પ્રમાણે બંદોબસ્તમાં પૂરતી સંખ્યા ન થતા રાજકોટ હોમગાર્ડ કમાન્ડરે આ નિર્ણય લીધો હતો. રોજમદાર તરીકે કામ કરતા હોમગાર્ડ હવે બેરોજગાર બની ગયા છે.

માહિતી મુજબ સુરત બંદોબસ્ત ખાતે સંખ્યા ન થતા હોમગાર્ડ કમાન્ડરે આ નિર્ણય લીધો છે. અને તેના પગલે રોજમદાર તરીકે ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો પર અચાનક આફત આવી પડી છે. કલમ ૪(૧) મુજબ બંદોબસ્તમાં સંખ્યા ન થતા આ લેવાયો નિર્ણય છે.

હોમગાર્ડને કેટલા સમય માટે છૂટા કરાયા છે તે મામલે હજું કોઇ સ્પષ્ટતા થઇ નથી. સામાન્ય રીતે આ હોમગાર્ડ્સ રાત્રી ફરજ બજાવતા હતા અને તેમને છૂટા કરાતા તે બેરોજગાર બન્યા છે. અન્ય જિલ્લામાં હોમગાર્ડની માંગણી કરવામાં આવતી હતી જે હોમગાર્ડની સંખ્યા પૂર્ણ થતા ન હોવાથી ૫૦૦ જેટલા હોમગાર્ડને છૂટા કરવામાં આવ્યા હોવાનું હોમગાર્ડના જીલ્લા કમાન્ડન્ટ કે.બી. કાનાણીએ જણાવ્યું હતું.

Related posts

નવા નરોડા વિસ્તારમાં આવેલી ૮ જેટલી સોસાયટીના રહીશોએ સ્માર્ટ મીટરને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો

Ahmedabad Samay

નરોડામાં આવેલ મધુવન ગ્લોરી ફ્લેટ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરવાની સમસ્યા યથાવત, જનતા થઇ ત્રાહિમામ

Ahmedabad Samay

અમદાવાદ-બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસમાં આજે સુનાવણી

Ahmedabad Samay

ભાજપ ઉમેદવાર અમિતભાઈ  શાહે અમદાવાદના નરોડા વિસ્તારમાં જનસભાને સંબોધન કર્યું

Ahmedabad Samay

કોવિડ-૧૯નો ઓમિક્રોન વેરીયન્‍ટ લગભગ ‘અજેય’ છે અને તેનાથી દરેક લોકો સંક્રમિત થશે

Ahmedabad Samay

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો